નવી દિલ્હી: ભારતે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પાસે ચંદ્રયાન-2 મિશન હઠળ વિક્રમ લેન્ડરને પહોંચાડીને ઈતિહાસ રચ્યો છે. જો કે ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ઈસરો)ના વૈજ્ઞાનિકોનો સંપર્ક ચંદ્રની સપાટીથી માત્ર 2.1 કિમી દૂર તૂટી ગયો. હવે વૈજ્ઞાનિકો તેના ડેટાનું વિશ્લેષણ કરી રહ્યાં છે. ભલે વિક્રમ લેન્ડર સાથે સંપર્ક ખોરવાઈ ગયો પરંતુ ચંદ્રની કક્ષામાં રહેલા ચંદ્રયાન-2નું ઓર્બિટર એક વર્ષ સુધી ચંદ્રનો અભ્યાસ કરશે અને તેના રહસ્યો પરથી પડદો હટાવશે. તેનો ઉલ્લેખ પીએમ મોદીએ આજે પોતાના સંબોધનમાં પણ કર્યો. આ માટે તેમાં ખુબ જ શક્તિશાળી ઉપકરણ લાગેલા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'કોઈ પણ અડચણથી ISROની ઉડાણ અટકી શકે નહીં', વૈજ્ઞાનિકોના નામે PM મોદીના સંબોધનની 10 ખાસ વાતો


આવું છે ઓર્બિટર


ઓર્બિટરનું વજન 2,379 કિગ્રામ અને વીજળી ઉત્પાદન ક્ષમતા 1,000 W છે. તેના મિશનની લાઈફ એક વર્ષની છે. સમગ્ર ચંદ્રયાન-2 મિશનમાં આ ઓર્બિટરની મહત્વની ભૂમિકા છે. તેના દ્વારા જ વિક્રમ લેન્ડર, પ્રજ્ઞાન રોવર અને ધરતી પર રહેલા ઈસરોના વૈજ્ઞાનિકો વચ્ચે સંપર્ક બની શકે. તે ચંદ્રની કક્ષામાં ભ્રમણ કરી રહ્યું છે. 


VIDEO: ISRO ચીફ કે સિવન PM મોદીને ગળે મળીને રડી પડ્યા, પીએમ પણ થઈ ગયા ભાવુક


આ ઓર્બિટર ચંદ્રની સપાટી પર રહેલા લેન્ડર વિક્રમ અને રોવર પ્રજ્ઞાન દ્વારા મળેલી જાણકારીઓને ધરતી પરના વૈજ્ઞાનિકોને મોકલશે. જો કે હવે વિક્રમ લેન્ડર સાથે સંપર્ક તૂટી ગયો છે. પરંતુ ઈસરોના વૈજ્ઞાનિકોએ કે ક્રેશ થયું હોવાની આશંકા વ્યક્ત કરી નથી. તેમનું કહેવું છે કે તેના ડેટાનું વિશ્લેષણ થઈ રહ્યું છે. ચંદ્રયાન-2 મિશનનો 95 ટકા પેલોડ કાર્યરત છે. એટલે કે ઓર્બિટરના તમામ ઉપકરણ સુચારુ રીતે કામ કરી રહ્યાં છે. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...