Chandrayaan 3: ભારતનું મિશન ચંદ્રયાન 3 સતત સફળતાના શિખર સર કરતું આગળ વધી રહ્યું છે. પળે પળે તેનું ચંદ્રથી અંતર ઓછું થઈ રહ્યું છે. હવે ઈસરોએ ચંદ્રયાનને લઈને મોટું અપડેટ આપ્યું છે. ઈસરોના વૈજ્ઞાનિક આ વાતને લઈને સંપૂર્ણ આશ્વસ્ત છે કે ભલે કોઈ પણ ગડબડી કેમ ન થાય પરંતુ યાનનું ચંદ્ર પર સફળતાપૂર્વક લેન્ડિંગ થઈને જ રહેશે. પહેલા ઈસરો ચીફ એસ સોમનાથ અને પછી ચંદ્રયાન 2 અને 3ના લોન્ચિંગ સમયે ઈસરોના સહયોગી રહી ચૂકેલા એરોસ્પેસ વૈજ્ઞાનિક પ્રોફેસર રાધાકાંત પાધીનો પણ દાવો છે કે ચંદ્રયાન-2ની અસફળતા બાદ ઈસરોએ ખુબ સુધાર કર્યો અને ચંદ્રયાન-3ને એ રીતે બનાવવામાં આવ્યું છે કે તે સફળતાપૂર્વક લેન્ડિંગ કરીને જ લેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચંદ્રયાન 2ના ઓર્બિટર સાથે સંપર્ક
 ઈસરોએ જણાવ્યું કે  ચંદ્રયાન-2ના ઓર્બિટર સાથે ચંદ્રયાન-3નું સફળતાપૂર્વક સંપર્ક પ્રસ્થાપિત થઈ ગયો છે. ચંદ્રયાન 2ના ઓર્બિટરે યાન-3નું સ્વાગત કર્યું છે. બંને વચ્ચે બેતરફી સંવાદ થયો છે. ઈસરોએ આ સાથે જ ચંદ્રયાન-3ની ચંદ્ર પર લેન્ડિંગ અંગે લેટેસ્ટ અપડેટ પણ આપ્યું. અત્રે જણાવાનું કે રવિવારે સવાર સુધીમાં ચંદ્રયાન 3ની ચંદ્રની સપાટીથી અંતર માત્ર 25 કિમી દૂર હતું. ચંદ્રયાન 3 ચંદ્રની ચારેબાજુ ચક્કર મારતું તેની વધુ નજીક જઈ રહ્યું છે. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube