Chardham Yatra 2023: લગભગ છ મહિનાના અંતરાલ પછી, અક્ષય તૃતીયાના અવસરે શનિવારે ગંગોત્રી અને યમુનોત્રી મંદિરોના દરવાજા ખોલવાની સાથે ચારધામ યાત્રા શરૂ થશે. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ શુક્રવારે આ પવિત્ર યાત્રા પર જઈ રહેલા ભક્તોની બસોને લીલી ઝંડી બતાવી હતી. ગઢવાલ હિમાલયના ચારધામોમાંથી અન્ય બે ધામ કેદારનાથના દરવાજા 25 એપ્રિલે અને બદ્રીનાથના દરવાજા 27 એપ્રિલે ખુલશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઋષિકેશમાં આયોજિત 'ઋષિકેશથી ચારધામ યાત્રા - 2023' કાર્યક્રમમાં મુખ્યમંત્રી ધામીએ શ્રદ્ધાળુઓને માળા પહેરાવીને આવકાર્યા હતા અને ગયા વર્ષની જેમ યાત્રા માટે ચાર ધામો- બાબા કેદાર, બદ્રીવિશાલ, મા ગંગોત્રી અને મા યમુનોત્રીની પ્રાર્થના કરી હતી. 


તેમણે કહ્યું કે આ વખતે સરકાર દ્વારા ચારધામ યાત્રા પર આવનારા શ્રદ્ધાળુઓનું સ્વાગત કરવા માટે 'હેલિકોપ્ટર દ્વારા ફૂલોની વર્ષા' કરવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે. ચારધામ યાત્રાને ઉત્તરાખંડ માટે 'ઉત્સવ' ગણાવતા મુખ્યમંત્રીએ કહ્યું કે દેશ-વિદેશમાંથી લાખો શ્રદ્ધાળુઓ રાજ્યમાં આવે છે જેના કારણે રોજગારીની તકો ઉભી થાય છે.


આ પણ વાંચો:
ડમી કાંડનો પર્દાફાશ કરનાર યુવરાજસિંહની મુશ્કેલી વધી, મોડી રાતે થઈ ધરપકડ
કપડા પર પડી ગઈ ચા ? ચિંતા ન કરો આ ટીપ્સની મદદથી 10 મિનિટમાં દુર કરો ચાના જીદ્દી ડાઘ
આ રાશિના લોકોને સકારાત્મક પરિવર્તનથી મળશે સફળતા, મકર-કર્ક રાશિના લોકો ખાસ વાંચે


અત્યાર સુધીમાં 16 લાખ લોકોએ યાત્રા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું
તેમણે કહ્યું કે આ વર્ષે અત્યાર સુધીમાં 16 લાખ લોકોએ યાત્રા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે અને સરકાર એ સુનિશ્ચિત કરશે કે દરેક ભક્તની યાત્રા સરળ અને 100% સુરક્ષિત હોય.


મુખ્યમંત્રીએ કહ્યું, “અમને પૂરો વિશ્વાસ છે કે આ વર્ષની ચારધામ યાત્રા અગાઉના તમામ રેકોર્ડ તોડી નાખશે. રાજ્ય સરકાર સુરક્ષિત ચારધામ યાત્રાને સુનિશ્ચિત કરવા કટિબદ્ધ છે. અમારો પ્રયાસ રહેશે કે યાત્રાની સમાપ્તિ પછી ઘરે પરત ફરતો દરેક ભક્ત દેવભૂમિ ઉત્તરાખંડમાં વિતાવેલા સમયની સોનેરી યાદો પાછી લઈ જાય.''


કોવિડ-19ના કારણે બે વર્ષના અંતરાલ બાદ ગયા વર્ષે સંપૂર્ણ રીતે શરૂ થયેલી ચારધામ યાત્રામાં રેકોર્ડ 47 લાખથી વધુ શ્રદ્ધાળુઓ આવ્યા હતા. રાજ્ય સરકાર આ વખતે આ સંખ્યામાં વધુ વધારો થવાની અપેક્ષા રાખી રહી છે.


દરમિયાન, ઉત્તરકાશી જિલ્લામાં ગંગોત્રી મંદિર અને યમુનોત્રી મંદિરને ખોલવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે જ્યાં મંદિરોને ફૂલોથી શણગારવામાં આવી રહ્યા છે. હવન અને વૈદિક મંત્રોચ્ચાર પછી, ગંગોત્રીના દરવાજા શનિવારે બપોરે 12:35 વાગ્યે ખુલશે, જ્યારે યમુનોત્રીના દરવાજા 12:41 વાગ્યે ખુલશે. બંને ધામોમાં ભક્તોનું આગમન શરૂ થઈ ગયું છે.


આ પણ વાંચો:
ધોનીએ અચાનક આપ્યા સંન્યાસના સંકેત, પોતાના નિવેદનથી ક્રિકેટ જગતમાં મચાવી હલચલ
પોલીસનો ધડાકો: 'યુવરાજસિંહે બે લોકો પાસેથી 1 કરોડની જબરદસ્તી ખંડણી કઢાવી'
Akshaya Tritiya 2023: આજે કરી લો આ શુભ કામ, વર્ષભર ધન-ધાન્યથી છલોછલ રહેશે ઘર
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube