Chhattisgarh: તેલંગાણામાં શુક્રવારે મતદાનની સાથે જ દેશના 5 રાજ્યો મિઝોરમ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને તેલંગાણામાં ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે. આજે મતગણતરી ચાલી રહી છે સાંજ સુધીમાં ચૂંટણીના પરિણામો જાહેર થશે. ત્યારે દરેકના મનમાં સવાલ છે કે તે ભાજપ છે કે કોંગ્રેસ કે BRS કે MNF. અહીં આપણે માત્ર છત્તીસગઢ રાજ્યની વાત કરવાના છીએ. ચાલો જાણીએ કે ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ કોને મુખ્યમંત્રીનો તાજ પહેરાવી શકાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોણ બનશે રાજસ્થાનના નવા CM? મળશે નવો ચહેરો કે યથાવત રહેશે દિગ્ગજોની ધાક
Election Result 2023 LIVE Update : એમપી-રાજસ્થાનમાં ભાજપની દહાડ : છત્તીસગઢમાં ટફફાઈટ, તેલંગાણા પર વધી આશા


છત્તીસગઢમાં કોણ બનશે સીએમ? 
છત્તીસગઢની 90 વિધાનસભા બેઠકો માટે 7 અને 17 નવેમ્બરના રોજ બે તબક્કામાં મતદાન થયું હતું. કોંગ્રેસ અને ભાજપ બંનેએ અહીં પ્રચારમાં પોતાની પૂરી તાકાત લગાવી દીધી હતી. જો રાજ્યમાં કોંગ્રેસ સત્તામાં આવશે તો ભૂપેશ બઘેલને મુખ્યમંત્રી બનાવવામાં આવી શકે છે. જો કે ટીએસ સિંહ દેવનું વલણ જોતા તેમને સીએમ પદ પર તક મળી શકે છે. જો ભાજપની વાત કરીએ તો ત્રણ વખતના સીએમ રમણ સિંહનું નામ સામે આવે છે. જો કે આ રેસમાં સાંસદ વિજય બઘેલ પણ સામેલ છે. ભાજપ યુવા ચહેરાઓ પર દાવ રમશે તો કેન્દ્રીય નેતૃત્વની નજીકના ઓપી ચૌધરીનું નામ સામે આવે છે.


શું ચૂંટણીની આ 'સેમી-ફાઇનલ'નું પરિણામ લખશે 2024ની ફાઈનલની સ્ક્રિપ્ટ?


ભાજપે રાજ્યમાં મુખ્યમંત્રી પદ માટે કોઈ ચહેરો આપ્યો નથી. જો ભાજપ સત્તામાં પરત ફરશે તો ડૉ. રમણ સિંહ ફરીથી કાર્યભાર સંભાળશે અથવા ચૂંટણી લડતા કેન્દ્રીય મંત્રીઓ અને સાંસદોમાંથી કોઈને તક મળશે. કોંગ્રેસે એવી અટકળોને પણ વેગ આપ્યો છે કે શું મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ સત્તામાં રહેશે કે નવો ચહેરો ઉભરી આવશે. બાલોદમાં શિક્ષાકર્મી સંતોષ શર્મા મળ્યા. તે ભાજપને જીત અપાવી રહ્યા છે. કારણ આપવામાં આવ્યું છે કોંગ્રેસ પાર્ટીનું બદલાતું વલણ.


શિયાળામાં આ રીતે લસણ ખાશો તો શરદી-ખાંસી અને તાવ આસપાસ ફરકશે પણ નહી
આ 5 રાશિઓના લોકો વિશે જાણીને તમને થશે આશ્વર્ય, આ લોકોમાં હોય છે વિશેષ ગુણ


'ભૂપેશ હૈ તો ભરોસા હૈ' ના બદલે 'ભરોસે કી સરકાર' અને 'ભરોસા બરકરાર, ફીર સે કોંગ્રેસ સરકાર' જેવા નારા આવવા લાગ્યા છે. એવી પાર્ટી સાથે કેમ જઇએ, જેમાં બધુ અનિશ્વિત દેખાતું હોય. સંતોષનું માનવું છે કે ભાજપ આવશે તો બાગડોર ડો. રમણના હાથમાં જ હશે. ખેડૂત માનચંદ પટેલ કહે છે, જેણે અમારી દેવું માફ કર્યું, અમે તો તેને જ જોવા માંગીએ છીએ. બધેલ મુખ્યમંત્રી છે તો તે જ બનશે. 


છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીના એક્ઝિટ પોલના ટ્રેંડ 30 નવેમ્બરના રોજ જાહેર થયા હતા. આ ટ્રેંડ અનુસાર કોંગ્રેસ સરકાર છત્તીસગઢમાં ફરી સત્તામાં આવશે. આજના ચાણક્ય, સી વોટર અને અન્ય ઘણી એજન્સીઓએ તેમના એક્ઝિટ પોલમાં ભાજપની હાર દર્શાવી છે. છત્તીસગઢ વિધાનસભામાં કુલ 90 સીટો છે. સરકાર બનાવવા માટે દરેક પાર્ટીને ઓછામાં ઓછી 46 સીટોની જરૂર છે. 


Multibagger Share: શેર છે કે કુબેરનો ખજાનો, એક લાખના બની ગયા 70 લાખ, રોકાણ કરનાર પણ
પ્રી-વેડિંગશૂટ માટે પરફેક્ટ છે ઋષિકેશના આ લોકેશન, આલ્બમમાં લાગી જશે ચાર ચાંદ


એક્સિસ મોઈ ઈન્ડિયાના પોલ અનુસાર વર્તમાન વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીને 45 બેઠકો મળશે. તેઓ માત્ર એક સીટથી સરકાર બનાવવાનું ચૂકી શકે છે. આ સર્વેમાં ભાજપને 41 સીટો આપવામાં આવી છે. અન્યને ચાર બેઠકો મળી શકે છે. જો સી વોટરના સર્વેની વાત કરીએ તો કોંગ્રેસને બહુમતીના આંકડા કરતાં એક વધુ એટલે કે 47 બેઠકો આપવામાં આવી છે. ભાજપને 42 અને અન્યને એક બેઠક આપવામાં આવી છે.


200 વર્ષથી એવી ને એવી છે અડદના લોટમાંથી બનેલી હનુમાનજીની આ મૂર્તિ, તમે જોઈ
વ્યક્તિને માલામાલ બનાવી દે છે કુંડળીમાં બનેલો આ શુભ યોગ, જીવનમાં મળશે ઉંચુ સ્થાન