નવી દિલ્હી: CRPF જવાન રાકેશ્વર સિંહ મન્હાસને નક્સલીઓએ 5 દિવસ બાદ ગઈ કાલે 8 એપ્રિલના રોજ છોડી મૂક્યો. પરંતુ આ નક્સલીઓ જે રીતે જવાનને બંધક બનાવીને લાવ્યા, તેમને અપમાનિત કર્યા અને ગામમાં તેમની પરેડ કરાવી તેનાથી તો એવું લાગે છે કે રાકેશ્વરસિંહ મન્હાસ ભારતમાં નહીં પરંતુ કોઈ દુશ્મન દેશમાં હતા અને તેમને ત્યાં બંધક બનાવવામાં આવ્યા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નક્સલીઓનું ઈવેન્ટ મેનેજમેન્ટ
આ નક્સલવાદીઓ તેમને દોરડાથી બાંધીને બીજાપુરના  આદિવાસી વિસ્તારમાં લાવ્યા જે નક્સલ પ્રભાવિત છે. જો કે તે પહેલા આ નક્સલીઓએ તેની જાણકારી ત્યાંના કેટલાક ગામડાઓ, આદિવાસી નેતાઓ અને મીડિયાકર્મીઓને આપી. જ્યારે ત્યાં ભીડ ભેગી થઈ ત્યારે આ હથિયારબંધ નક્સલીઓ રાકેશ્વર સિંહ મન્હાસને ત્યાં લઈ આવ્યા. મીડિયા સામે તેમના બાંધેલા હાથ ખોલ્યા અને પછી તેમને છોડી મૂક્યા. 


Shocking! ચીનની વુહાન લેબમાં કોરોનાથી પણ ખતરનાક વાયરસ, ચોખા-કપાસથી થયો ચોંકાવનારો ખુલાસો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube