પટના: કેન્દ્રીય મંત્રી અને લોક જનશક્તિ પાર્ટીના સ્થાપક રામવિલાસ પાસવાન (Ramvilas Paswan)ને ગુરુવારે સાંજે 74 વર્ષની ઉંમરે તેમનું નિધન થયુ હતુ. શુક્રવારે મોડી સાંજે રામવિલાસ પાસવાનનો મૃતદેહ એરફોર્સના વિશેષ વિમાન દ્વારા પટના પહોંચ્યો હતો.


આજે સવારે રામ વિલાસ પાસવાનના પાર્થિવ દેહને પટનાના એસકે પુરી સ્થિત તેમના નિવાસ સ્થાન પર અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો હતો. રામકૃપલ યાદવ સહિત ઘણા મોટા નેતાઓ તેમના અંતિમ સન્માન અને રામવિલાસ પાસવાનને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube