ચંડીગઢઃ જમ્મુ-કાશ્મીરના પુંછમાં સોમવારે આતંકીઓ સાથે લડતા શહીદ જવાનોના પરિવાર માટે પંજાબ સરકારે 50-50 લાખ રૂપિયાની રકમ અને નોકરી આપવાની જાહેરાત કરી છે. પંજાબ સરકાર તરફથી મળેલી જાણકારી પ્રમાણે મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ પુંછમાં આતંકવાદીઓ સાથે થયેલી અથડામણમાં જીવ ગુમાવનાર નાયબ સુબેદાર જસવિંદર સિંહ, નાયબ મનદીપ સિંહ અને સિપાહી જગ્ગન સિંહના શોકગ્રસ્ત પરિવારને 50 લાખ રૂપિયાનું વળતર અને પરિવારના એક સભ્યને સરકારી નોકરી આપવાની જાહેરાત કરી છે. 


મહત્વનું છે કે પુંછ જિલ્લામાં આતંકવાદ વિરોધી અભિયાનમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે થયેલી અથડામણમાં 'જૂનિયર કમીશંડ અધિકારી' સહિત પાંચ સૈન્યકર્મીઓ શહીદ થઈ ગયા હતા. રક્ષા વિભાગના એક પ્રવક્તાએ જણાવ્યુ કે, આતંકવાદીઓએ સુરક્ષાદળો પર ભારે ગોળીબારી કરી જેનાથી એક જેસીઓ અને ચાર અન્ય જવાન ગંભીર રૂપથી ઈજાગ્રસ્ત થઈ ગયા. બાદમાં સારવાર દરમિયાન પાસે આવેલી એક સૈન્ય હોસ્પિટલમાં તમામ પાંચ સૈનિકોના નિધન થયા હતા. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube