જયપુર: રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે પહેલુ ખાનની ગૌરક્ષકો દ્વારા પીટાઈ મામલે રજુ કરાયેલી ચાર્જશીટનું ઠીકરું પ્રદેશની પૂર્વની ભાજપ સરકાર પર ફોડ્યું છે. આ સાથે જ તેમણે આશ્વાસન આપ્યું છે કે જો મામલે તપાસમાં કોઈ પણ ગડબડી જાણવા મળશે તો તેની ફરીથી તપાસ થશે. 


આ કેસ પર પોતાની પ્રતિક્રિયા આપતા મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું કે પહેલુ ખાન કેસની તપાસ પૂર્વની ભાજપ સરકારના શાસન દરમિયાન કરાઈ હતી. આ મામલે ચાર્જશીટ પણ ભાજપ સરકાર દ્વારા રજુ કરાઈ હતી. ત્યારબાદ તેમણે કહ્યું કે જો આ તપાસમાં કોઈ પણ પ્રકારની ખામી હશે તો આ મામલે ફરીથી તપાસ થશે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...