નવી દિલ્હીઃ પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં સ્થિત નનકાના સાહિબ ગુરૂદ્વારા પર થયેલા હુમલા અને પથ્થરમારા વિરુદ્ધ ભારતીય જનતા પાર્ટી અને યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓએ દિલ્હી સ્થિત પાકિસ્તાન હાઈ કમિશનની બહાર પ્રદર્શન કર્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વિરોધ પ્રદર્શનમાં શીખ સમુદાયના લોકોની સાથે મુસ્લિમ સમુદાયના લોકો પણ સામેલ થયા હતા. મહત્વનું છે કે પાકિસ્તાન હાઈ કમિશનની બહાર એક તરફ ભાજપ તો બીજીતરફ કોંગ્રેસના કાર્યકર્તાઓએ પાકિસ્તાન વિરુદ્ધ નારેબાજી કરી હતી. 


આ દરમિયાન ભાજપના કાર્યકર્તાઓએ ત્યાં લાગેલા બેરીકોડને તોડી દીધા હતા. ડોગરા ફ્રન્ટના સભ્યોએ પણ નનકાના સાહિબ પર થયેલા હુમલાનો વિરોધ કર્યો હતો. એટલું જ નહીં, શીખ યુથ સેવા ફ્રન્ટે પણ તેની વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું.   


નનકાના સાહિબ પર હુમલો: ભારતમાં શીખ સમુદાય કાળઝાળ, સિરસાએ કહ્યું-'નામ કોઈ બદલી શકે નહીં'


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....