નવી દિલ્હીઃ દેશના અનેક રાજ્યોમાં કોરોના સંક્રમણની વિસ્ફોટક સ્થિતિ બાદ જ્યાં નાઇટ કર્ફ્યૂ સહિત અનેક પ્રકારના પ્રતિબંધો લાગૂ છે તો તેને લઈને રાજનેતાઓની ચિંતા વધી ગઈ છે. કોંગ્રેસના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધીએ સોમવારે કોરોનાને કારણે દેશમાં બનેલી ગંભીગ સ્થિતિને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પત્રમાં સોનિયાએ પીએમ મોદીને કહ્યુ કે, સંક્રમણની સ્થિતિ અને વધતા કેસો પર વિચાર કરતા રાજ્યોને કોવિડ-19ની રસીની ફાળવણી કરવામાં આવે. આ સાથે કોવિડના વધતા કેસ પર સોનિયા ગાંધીએ કહ્યુ કે, ઉંમરની જગ્યાએ જરૂરીયાતના આધાર પર લોકોને રસીકરણની મંજૂરી આપવામાં આવે. 


તો મોટી કિંમત ચુકવવી પડશે, કોરોનાની બીજી લહેર પર ડો. ગુલેરિયાની ચેતવણી  


મહત્વનું છે કે આ પહેલા રવિવારે 24 કલાકમાં દેશમાં કોરોનાના 1 લાખ 53 હજારથી વધુ કેસ સામે આવ્યા હતા. શનિવારે પણ કોરોનાથી 839 લોકોના મૃત્યુ થયા હતા. તેની સામે 90584 લોકો સાજા થયા હતા. દેશમાં શુક્રવારે 145384 નવા કેસ નોંધાયા હતા. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube