નવી દિલ્હી: વિવેક અગ્નિહોત્રીના નિર્દેશનમાં બનેલી ફિલ્મ 'ધ કાશ્મીર ફાઈલ્સ' હાલ ખુબ જ ચર્ચામાં છે. ફિલ્મમાં કાશ્મીરી પંડિતોના નરસંહારની દર્દભરી કહાની દર્શાવવામાં આવી છે. હરિયાણા, ગુજરાત સહિત કેટલાક રાજ્યોમાં આ ફિલ્મ ટેક્સફ્રી કરાઈ છે. પરંતુ આ બધા વચ્ચે કેરળ કોંગ્રેસે ફિલ્મની ટીકા કરી છે. રવિવારે કેરળ કોંગ્રેસે કહ્યું કે જમ્મુ અને કાશ્મીરમાં માર્યા ગયેલા પંડિતોમાંથી મોટાભાગની સંખ્યા તો મુસ્લિમોની રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કાશ્મીરી પંડિતો કરતા વધુ તો મુસલમાનો માર્યા ગયા-કોંગ્રેસ
કોંગ્રેસે ટ્વીટ કરીને કહ્યું કે તેઓ આતંકવાદી હતા જેમણે કાશ્મીરી પંડિતોને નિશાન બનાવ્યા. વર્ષ 1990થી લઈને 2007 વચ્ચે 17 વર્ષમાં આતંકવાદી હુમલામાં 399 પંડિતોની હત્યા કરવામાં આવી. આ સમયગાળામાં આતંકવાદીઓએ 15 હજાર મુસલમાનોની હત્યા કરી. કોંગ્રેસે વધુમાં લખ્યું છે કે ઘાટીથી કાશ્મીરી પંડિતોનું પલાયન તત્કાલિન રાજ્યપાલ જગમોહનના નિર્દેશ પર થયું હતું. જે આરએસએસના માણસ હતા. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube