ભોપાલ: કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે જાણે પોતાની જ મજાક ઉડાવી લેવાનું મન બનાવી લીધુ છે. આથી તેઓ એક એવી વિચિત્ર જાહેરાત કરી બેઠા છે. દિગ્વિજય સિંહે કોમેડિયન કુણાલ કામરા અને મુનાવર ફારુકી  (Munawar Faruqui) ને ભોપાલમાં આવીને શો કરવાનું આમંત્રણ આપ્યું છે. તેમણે કહ્યું કે તમામ જવાબદારી તેમની હશે અને કોમેડીનો સબ્જેક્ટ પણ દિગ્વિજય સિંહ હશે. એટલે કે તેઓ ઈચ્છે છે કે બંને કોમેડિયન ભોપાલ આવીને દિલ ખોલીને તેમની મજાક ઉડાવે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિરોધના નામ પર કઈ પણ ચાલશે
મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના સાંસદ દિગ્વિજય સિંહે આ અંગે એક ટ્વીટ કરી છે. તેમણે લખ્યું કે હું કુણાલ અને મુનાવર માટે ભોપાલમાં શો આયોજિત કરીશ. તમામ જવાબદારી મારી રહેશે. શરત ફક્ત એ હશે કે કોમેડીનો સબ્જેક્ટ દિગ્વિજય સિંહ હશે. તેમાં તો સંઘીઓને કોઈ વાંધો ન હોવો જોઈએ. હકીકતમાં કોંગ્રેસ નેતા સંઘ પર નિશાન સાંધી રહ્યા છે  અને આ માટે તેઓ પોતાની મજાક ઉડાવવા માટે પણ તૈયાર છે. 


પોતાની સુવિધા મુજબ નક્કી કરે ડેટ
દિગ્વિજય સિંહે કુણાલ કામરા અને મુનાવર ફારુકીને એમ પણ કહ્યું કે પોતાની સુવિધા મુજબ તેઓ તારીખ અને સમય જણાવે. તેમણે કહ્યું કે તેમની તમામ શરતો મંજૂર રહેશે. પરંતુ શોનો સબ્જેક્ટ ફક્ત દિગ્વિજય સિંહ હોવો જોઈએ. અત્રે જણાવવાનું કે કુણાલ કામરા અને મુનાવર ફારુકીના અનેક શો કેન્સલ થયા છે. બંને ઉપર ભડકાઉ કોમેડી કરવાના આરોપ લાગતા રહ્યા છે. મુનાવર ફારુકીના તો માત્ર બે મહિનામાં 12 શો રદ થઈ ચૂક્યા છે. તેનાથી નારાજ થઈને તેણે સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે હવે મારું કામ થઈ ગયું. નફરત જીતી ગઈ અને કલાકાર હારી ગયો. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube