નવી દિલ્હી: કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમે શુક્રવારે જનસંખ્યા વિસ્ફોટ, સિંગલ યૂઝ પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવા અને સંપત્તિ સર્જન કરનારાઓના સન્માનને લઈને વડાપ્રધાન મોદીના વિઝનને બિરદાવ્યું છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે સ્વતંત્રતા દિવસ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરાયેલી આ ત્રણ જાહેરાતોનું આપણે બધાએ સ્વાગત કરવું જોઈએ.- "નાનો પરિવાર રાખવો એ દેશભક્તિવાળુ કર્તવ્ય છે, સંપત્તિનું સર્જન કરનારાઓનું સન્માન કરવું જોઈએ અને સિંગલ યૂઝ પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવો જોઈએ."


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જે કામ કોંગ્રેસ 70 વર્ષમાં ન કરી શકી, તે મોદી સરકારે 75 દિવસમાં કરી બતાવ્યું: અમિત શાહ


પૂર્વ નાણામંત્રીએ કહ્યું કે હું આશા રાખુ છું કે આ ત્રણ વાતોમાંથી નાણામંત્રી અને તેમના કર અધિકારીઓએ તથા તપાસકર્તાઓની ટીમે વડાપ્રધાનના બીજા ઉદ્બોધનને જોરથી અને સ્પષ્ટ રીતે સાંભળ્યું હશે.


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...