નવી દિલ્હી: કોંગ્રેસના નેતા એવા નિવેદનો આપી બેસે છે જેના કારણે ઉહાપોહ થઈ જાય છે. હવે પાર્ટીના નેશનલ મીડિયા કોઓર્ડિનેટર રાધિકા ખેરા  (Radhika Khera) એ કરેલી એક ટ્વીટ પાર્ટી માટે મુસીબત બની ગઈ છે. સોશિયલ મીડિયા પર સતત રાધિકા ખેરાનું ટ્રોલિંગ થઈ રહ્યું છે. વાત જાણે એમ છે કે રાધિકાએ ટી20 વર્લ્ડ કપમાં પાકિસ્તાનના હાથે મળેલી હાલ પર કટાક્ષ કરતી ટ્વીટ કરી. આ ટ્વીટ દ્વારા તેમણે ભાજપ અને તેના સમર્થકોને પણ નિશાન બનાવવાની કોશિશ કરી. પરંતુ આ કોશિશ તેમને ભારે પડી ગઈ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોંગ્રેસના નેશનલ મીડિયા કોઓર્ડિનેટર રાધિકા ખેરાએ ટ્વીટમાં લખ્યું કે 'કેમ ભક્તો? આવી ગયો સ્વાદ? કરાવી લીધી બેઈજ્જતી???' અત્રે જણાવવાનું કે સોશિયલ મીડિયા પર કટ્ટર ભાજપ સમર્થકો માટે આ ટર્મનો ઉપયોગ થાય છે. આથી કોંગ્રેસ લીડરે એક રીતે ટીમ ઈન્ડિયાની હારને ભાજપ સાથે જોડવાનો પ્રયત્ન કર્યો. જો કે એ વાત અલગ છે તેમને આ કરતૂત ભારે પડી. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube