પણજી: લાંબા સમયથી બીમાર પૂર્વ રક્ષામંત્રી અને ગોવાના હાલના મુખ્યમંત્રી મનોહર પાર્રિકરનું સ્વાસ્થ્ય સારૂ નથી. જો કે તેઓ હજુ પણ મુખ્યમંત્રી પદે યથાવત છે. હાલમાં જ તેમણે ગોવાનું બજેટ પણ રજુ કર્યું. મનોહર પાર્રિકરના સ્વાસ્થ્ય પર આપત્તિજનક ટિપ્પણી કરતા કોંગ્રેસના નેતા રેગિનાલ્ડો લોરેન્સોએ કહ્યું કે કાં તો પાર્રિકરે સન્માનપૂર્વક રાજીનામું આપી દેવુ જોઈએ નહીં તો કોઈ બીજાને કાર્યભાર સોંપી દેવો જોઈએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ન્યૂઝ એજન્સી એએનઆઈના અહેવાલ મુજબ લોરેન્સોએ કહ્યું કે મનોહર પાર્રિકરે કાં તો રાજીનામું આપવું જોઈએ અને નહીં તો કાર્યભાર બીજાને સોંપવો જોઈએ. હું કોઈ શરત જણાવતો નથી, તેમની પાર્ટીએ તેમના માટે શરતો નક્કી કરવી જોઈએ. પરંતુ તેમણે આ રીતે નાકમાં નળી નાખીને વિધાનસભામાં આવવું જોઈએ નહીં. ચીજો જ્યારે તમારા ખિસ્સામાંથી બહાર આવતી રહે છે તો તે તમને શોભા આપતું નથી. 


બિહાર: સીમાંચલ એક્સપ્રેસના 9 ડબ્બા ખડી પડ્યા, 6ના મોત, અનેક મુસાફરો ફસાયા


નોંધનીય છે કે હાલમાં જ કોંગ્રેસના નેતાઓએ ટિપ્પણી કરી હતી કે પાર્રિકર હોશમાં નથી. તેના જવાબમાં મનોહર પાર્રિકરે બજેટ રજુ કરતા કહ્યું હતું કે તેમનામાં જોશ પણ ખુબ છે અને તેઓ પૂરા હોશમાં પણ છે. પાર્રિકર 32 જાન્યુઆરીએ દિલ્હીની એઈમ્સમાં સારવાર માટે પહોંચ્યા છે. તેઓને એઈમ્સના કેન્સર સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યાં છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...