નવી દિલ્હી: ટી20 સીરિઝની બીજી મેચમાં ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડને સાત વિકેટે કારમી હાર આપી દીધી છે. આ જીતની સાથે ટીમ ઈન્ડિયાએ 2-0થી અજેય લીડ મેળવી લીધી છે. શુક્રવારે કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમાયેલી મેચમાં રોહિત બ્રિગેડે ક્લીન સ્વીપ કરી લીધી છે. રાંચીમાં શુક્રવારે રમાયેલી મેચમાં ભારતીય ફેન્સનો જોશ જોવા લાયક હતો. કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂર પણ મેચની મઝા માણવા માટે  સ્ટેડિયમ પહોંચ્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટીમ ઈન્ડિયાની જીત પછી શશિ થરૂર ઘણા પ્રસન્ન જોવા મળ્યા અને તેમણે આગામી મેચને લઈને એક મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું. શશિ થરૂરનું માનવું છે કે ત્રીજી ટી20 મેચમાં સીનિયર ખેલાડીઓને આરામ આપીને અય્યરે કેપ્ટન બનવું જોઈએ.


થરૂરે ટ્વીટ કર્યું, ભારતને ટી20 સીરિઝ જીતતું જોઈ સારું લાગ્યું. આગામી મેચ માટે આપણે તે તમામ લોકોને આરામ આપવો જઈએ જેમણે પોતાનું પ્રદર્શન સારી રીતે કર્યું છે. જેમાં રોહિત શર્મા, કેએલ રાહુલ, ભુવનેશ્વર કુમાર અને દીપક ચાહરને આરામ મળે. શ્રેયસ અય્યરના નેતૃત્વમાં અન્ય ખેલાડીઓએ પોતાની પ્રતિભા દેખાડવાનો મોકો મળવો જોઈએ.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube