નવી દિલ્હી: આઈએનએક્સ મીડિયા સંબંધિત ભ્રષ્ટાચાર અને મની લોન્ડરિંગના મામલાઓમાં આરોપી પૂર્વ નાણા મંત્રી પી ચિદમ્બરમની બુધવારે મોડી રાતે સીબીઆઈએ ધરપકડ કરી. પી. ચિદમ્બરમની ધરપકડ બાદ આજે કોંગ્રેસ તરફથી પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી. કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે છેલ્લા બે દિવસમાં લોકતંત્રની હત્યા થઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

INX મીડિયા કેસ: કોંગ્રેસી નેતા પી ચિદમ્બરમની ધરપકડ બાદ PM મોદીનો આ VIDEO થયો વાઈરલ


રાજનીતિક દ્વેષથી થઈ રહ્યું છે કામ-સુરજેવાલા
સુરજેવાલાએ કહ્યું કે છેલ્લા કેટલાક દિવસોમાં દેશના લોકતંત્રનું ગળું ઘોટાઈ જતા જોવા મળ્યું છે. જે રીતે પૂર્વ નાણા મંત્રી પી. ચિદમ્બરમ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે, તેનાથી સ્પષ્ટ થાય છે કે મોદી સરકાર તેમના વિરુદ્ધ રાજનીતિક દ્વેષથી કામ કરી રહી છે. સુરજેવાલાએ કહ્યું કે કાયદાના લીરેલીરા ઉડી રહ્યાં છે. એક  બાજુ દેશની અર્થવ્યવસ્થા ખાડે જઈ રહી છે, એ જ કારણ છે કે મોદી સરકાર લોકોનું ધ્યાન ભટકાવવા માટે આ પ્રકારની કાર્યવાહી કરી રહી છે. 


VIDEO: જે CBI હેડક્વાર્ટરના ઉદ્ધાટનના ચિદમ્બરમ અતિથિ હતાં, ત્યાં જ ધરપકડ બાદ રાત વિતાવી 


ઈડી અને સીબીઆઈનો દુરઉપયોગ
કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કેન્દ્રની સત્તાધારી સરકાર પર આરોપ લગાવતા કહ્યું કે તેઓ સીબીઆઈ અને ઈડીનો દુરઉપયોગ કરી રહ્યાં છે. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...