મુંબઈ: ભારતીય જનતા પાર્ટી (BJP) અને શિવસેના (Shiv Sena) વચ્ચે ચાલી રહેલા રાજકીય ઘમાસાણ વચ્ચે કોંગ્રેસ (Congress) પોતાના માટે સત્તા પર  બિરાજમાન થવાની તક શોધી રહી છે. પરંતુ કોંગ્રેસ-રાષ્ટ્રવાદી  કોંગ્રેસ પાર્ટી (NCP) ગઠબંધન શિવસેનાને સમર્થન મુદ્દે હજુ પણ પોતાના પત્તા ખોલી રહ્યાં નથી. પૂર્વ મુખ્યમંત્રી અશોક ચૌહાણ અને પૃથ્વીરાજ ચૌહાણે ગુરુવારે એનસીપી સુપ્રીમો શરદ પવાર (Sharad Pawar) સાથે મુલાકાત કરી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુખ્યમંત્રી પદ મુદ્દે શિવસેના BJP સામે નમતું જોખવા તૈયાર? આદિત્ય ઠાકરેના પોસ્ટરો હટવા લાગ્યા


મહારાષ્ટ્ર કોંગ્રેસ શાખાના પ્રમુખ બાલાસાહેબ થોરાટે પણ પવારની મુલાકાત કરી. કોંગ્રેસના સૂત્રોના જણાવ્યાં મુજબ બેઠકો ખેડૂતોના મુદ્દે ચર્ચા કરવા માટે હતી. આ બાજુ શિવસેના નેતા સંજય રાઉતે પણ એનસીપી ચીફ શરદ પવારની મુલાકાત કરી. તેમણે પોતે તેની જાણકારી આપતા કહ્યું કે હું તેમને દિવાળીની શુભકામનાઓ આપવા ગયો હતો. અમે મહારાષ્ટ્રના રાજકારણ ઉપર પણ ચર્ચા કરી. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...