નવી દિલ્હી/રૂરકી: પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા 40 જવાનોને એક સાથે ગુમાવવાનું દુ:ખ દેશના દરેક નાગરિકને છે. દેશભરમાં અલગ અલગ પ્રકારે શહીદોને શ્રદ્ધાંજલિ અપાઈ રહી છે. દેશમાં ઠેર ઠેર શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આવો જ એક કાર્યક્રમ હરિદ્વારના રૂરકીમાં કોંગ્રેસના કાર્યકરો દ્વારા આયોજિત કરાયો હતો. કાર્યક્મમાં શહીદોની શ્રદ્ધાંજલિની મજાક બનાવી દેવાઈ હતી. 


વાત જાણે એમ હતી કે ઉત્તરાખંડના રૂરકીમાં શહીદો માટે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન થયું હતું. કાર્યક્ર્મમાં ગીત દરમિયાન ખુબ નોટો ઉડાવવામાં આવી. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે પૂર્વ મુખ્યમંત્રી હરિશ રાવતના પુત્ર વીરેન્દ્ર રાવત પણ સામેલ થયા હતાં. સીઆરપીએફના જવાનોને શ્રદ્ધાંજલિ આપવાના આ કાર્યક્રમમાં ભાગ લેવા આવેલા વીરેન્દ્ર રાવત પર કોંગ્રેસના કાર્યકરોએ ખુબ નોટો ઉડાવી. ખુબ જ શરમજનક હરકતનો વીડિયો પણ સામે આવ્યો છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...