નવી દિલ્હી : લોકસભા ચૂંટણીનાં પહેલા તબક્કાની ચૂંટણી 11 એપ્રીલે યોજાવા જઇ રહી છે. તે પહેલા કોંગ્રેસે મતદાતાઓને લલચાવવા માટે એક મોટી યોજનાની જાહેરાત કરી દીધી છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના અનુસાર દેશનાં 20 ટકા ગરીબોને લઘુત્તમ આવક મળી રહે તે માટે સરકાર સરકાર ચુકવણુ કરશે. એટલે કે લઘુત્તમ આવકમાં ઘટતી રકમ સરકાર તરફથી મળશે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના અનુસાર 20 ટકા ગરીબ પરિવારોનાં ખાતામાં દર વર્ષે સીધા 72 હજાર રૂપિયા ચુકવવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમારી સરકાર આવશે તો દરેક ગરીબના 'બેંક ખાતા'માં પ્રતિવર્ષ 72 હજાર અપાશે: રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ દાવો કર્યો કે, એવી યોજના વિશ્વનાં કોઇ પણ દેશમાં લાગુ નથી અને તેનો લાભ 25 કરોડ લોકોને મળવાનો છે. આ યોજનાને ન્યાય સ્કીમનું નામ આપવામાં આવ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષના અનુસાર 'ન્યાય સ્કીમ' યોજનાનો ઇરાદો લોકોને ગરીબી રેખાથી ઉપર ઉઠાવવાનો છે. જેના હેઠળ દરેક ગરીબ પરિવારને માસિક કમાણી 12 હજાર રૂપિયા સુધી પહોંચાડવામાં આવશે. ઉદાહરણ માટે જો તમારી આવક 7 હજાર રૂપિયા માસિક છે તો કોંગ્રેસ સરકાર 12 હજારમાં ઘટતના 5 હજાર રૂપિયા તે પરિવારને ચુકવશે. જો તમારી આવક માસિક 2 હજાર રૂપિયા છે તો કોંગ્રેસ સરકાર ખુટતા 10 હજાર રૂપિયા ચુકવશે. આ રીતે તે દરેક ગરીબને લઘુત્તમ આવકની શ્રેણીમાં નાખશે. 
યુવાનોને વોટ આપવા પ્રોત્સાહિત કરશે Zee: પુનિત ગોએન્કાની પીએમ મોદીને ખાતરી

એક અનુમાન અનુસાર આટલી વિશાળ સ્કીમને લાગુ કરવા માટે આશરે 3.60 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થઇ શખે છે. જો કે સ્કીમમાં તે સ્પષ્ટ નથી કે બેરોજગાર હોવાની સ્થિતીમાં પરિવારને લાભ મળશે કે નહી. 
રાહુલ ગાંધીએ આપેલા વચનની મહત્વની વાતો

72 હજાર રૂપિયા વાર્ષિક ચુકવાશે
- 20 ટકા ગરીબ પરિવારોને આવકની ગેરેન્ટીનો લાભ
- 5 કરોડ પરિવારોને મળશે ફાયદો
- 25 કરોડ લોકોને મળશે યોજનાનો લાભ
- યોજનાને લાગુ કર્યા પછી વાર્ષિક 3.60 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ.