નવી દિલ્હી: કોંગ્રેસ માટે મોટા સમાચાર આવી રહ્યાં છે. કોંગ્રેસ પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદીએ પોતાના ટ્વિટર એકાઉન્ટર પરથી કોંગ્રેસ પ્રવક્તાનું પદ હટાવી દીધુ છે. આ સાથે જ તેમણે કોંગ્રેસ વોટ્સએપ ગ્રુપ (AICC online media) પણ છોડી દીધુ છે. તેનાથી પાર્ટી વિરુદ્ધ તેમની નારાજગી અને કોંગ્રેસ છોડવાની અટકળો તેજ થઈ ગઈ છે.  અત્રે જણાવવાનું કે 17 એપ્રિલના રોજ કોંગ્રેસ પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદીએ પોતાની સાથે ગેરવર્તણૂંક કરનારા મથુરાના કેટલાક પાર્ટી કાર્યકરો વિરુદ્ધ અનુશાસનાત્મક કાર્યવાહી રદ કરવાનો વિરોધ કરતા દાવો કર્યો હતો કે આવા લોકોને પ્રાથમિકતા અપાય તે દુ:ખની વાત છે. 


દેશના વધુ સમચાારો વાંચવા માટે કરો ક્લિક...