નવી દિલ્હીઃ Congress On EWS Reservation: આર્થિક રૂપથી નબળા વર્ગને (EWS) અપાતી અનામતને સુપ્રીમ કોર્ટે યથાવત રાખી છે. સોમવાર (7 નવેમ્બર) એ સુપ્રીમ કોર્ટે એડમિશન અને સરકારી નોકરીઓમાં EWS માટે 10 ટકા અનામતની જોગવાઈ કરનારા 103માં બંધારણીય સંશોધનના પક્ષમાં ચુકાદો આપ્યો. સર્વોચ્ચ કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું કે, EWS અનામત બંધારણના પાયાના માળખાનું ઉલ્લંઘન કરતું નથી. કોંગ્રેસે સુપ્રીમ કોર્ટના આ નિર્ણયનું સ્વાગત કર્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે કહ્યુ કે EWS શ્રેણી માટે 10 ટકા કોટા યથાવત રાખવાના સુપ્રીમ કોર્ટના નિર્ણયનું કોંગ્રેસ પાર્ટી સ્વાગત કરે છે. આ યાત્રામાં કોંગ્રેસે મહત્વની ભૂમિકા નિભાવી છે. આ અનામત મનમોહન સિંહના નેતૃત્વવાળી સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી પ્રક્રિયાનું પરિણામ છે. 


જાતિ આધારિત વસ્તી ગણતરી પર સરકારને પૂછ્યો સવાલ
જયરામ રમેશે કહ્યુ કે નરેન્દ્ર મોદી સરકારે તે પણ સ્પષ્ટ કરવું જોઈએ કે જાતિ આધારિત વસ્તી ગણતરી પર તેમનું શું વલણ છે. કોંગ્રેસ સાંસદે કહ્યું કે તેનો ઉલ્લેખ કરવો પણ જરૂરી છે કે સામાજિક આર્થિક અને જાતિ જનગણનાને 2012 સુધી પૂરી કરી લેવામાં આવી હતી. તે સમયે હું ગ્રામીણ વિકાસ મંત્રી હતો. મોદી સરકારે સ્પષ્ટ કરવું પડશે કે નવી જાતિ આધારિત વસ્તી ગણતરીને લઈને તેમનું શું વલણ છે. કોંગ્રેસ તેનું સમર્થન કરે છે અને તેની માંગ કરે છે. 


લાલ હશે ચંદ્રમાનો રંગ... 2022નું છેલ્લું ચંદ્ર ગ્રહણ, જોવા મળશે અદ્ભુત ખગોળીય ઘટના


ઉદિત રાજે કહ્યુ કે, હું ગરીબ સવર્ણોના અનામતની વિરુદ્ધ નથી પરંતુ તે માનસિકતાની વિરુદ્ધમાં છું કે જ્યારે SC/ST/OBC નો મામલો આવ્યો તો હંમેશા સુપ્રીમ કોર્ટે કહ્યું કે ઈન્દિરા સાહની મામલામાં લાગેલી 50%  મર્યાદા પાર ન થઈ શકે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube