શ્રીનગર: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ના વખાણ કર્યા બાદ કોંગ્રેસ (Congress) ના દિગ્ગજ નેતા ગુલામ નબી આઝાદ (Ghulam Nabi Azad) પોતાની જ પાર્ટીના કાર્યકરોના નિશાન પર આવી ગયા છે. કોંગ્રેસના કાર્યકરોએ મંગળવારે જમ્મુમાં ગુલામ નબી આઝાદ વિરુદ્ધ ખુબ પ્રદર્શન કર્યું અને તેમને પાર્ટીમાંથી કાઢી મૂકવાની માગણી કરી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કાર્યકરોએ કરી પાર્ટીમાંથી કાઢી મૂકવાની માગણી
પ્રદર્શન કરી રહેલા કાર્યકરોએ પાર્ટીના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી (Sonia Gandhi) ને ગુલામ નબી આઝાદને પાર્ટીમાંથી કાઢી મૂકવાની માગણી કરી. કાર્યકરોએ કહ્યું કે આ દુર્ભાગ્ય છે કે ગુલામ નબી આઝાદ (Ghulam Nabi Azad ) ને કોંગ્રેસ ઘણું બધુ આપ્યું, પરંતુ છતાં આજે જ્યારે પાર્ટીનું સમર્થન કરવાનો સમય છે તો તેમણે ભાજપ (BJP) સાથે દોસ્તી કરી. તેઓ ડીડીસી ચૂંટણી (DDC Election) પ્રચાર માટે પણ જમ્મુ કાશ્મીર ન આવ્યા. પરંતુ હવે અહીં આવીને પીએમ મોદીના વખાણ કરી રહ્યા છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube