Corona Cases in India: દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1.27 લાખ નવા કેસ નોંધાયા છે. જ્યારે પોઝિટિવિટી રેટ 8 ટકાથી નીચે ગયો છે. ભારતમાં ગઈ કાલે 1.49 લાખ નવા કેસ નોંધાયા હતા. જ્યારે 1072 લોકોના મોત થયા હતા. ગઈ કાલે ડેઈલી પોઝિટિવિટી રેટ 9.27 ટકા નોંધાયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવા 1.27 લાખથી વધુ કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ દેશભરમાંથી છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 1,27,952 દર્દીઓ નોંધાયા છે. જ્યારે તેની સામે રિકવરી કરનારા દર્દીઓની સંખ્યા વધુ છે. એક જ દિવસમાં 2,30,814 દર્દીઓએ કોરોનાને માત આપવામાં સફળતા મેળવી. હાલ દેશમાં 13,31,648 દર્દીઓ સારવાર હેઠળ છે. 


એક દિવસમાં 1059 લોકોના મોત
સરકારી આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસથી 1059 દર્દીઓએ જીવ ગુમાવ્યા છે. આ સાથે અત્યાર સુધીમાં કોરોનાથી મૃત્યુનો આંકડો 5,01,114 થઈ ગયો છે. ડેઈલી પોઝિટિવિટીની વાત કરીએ તો દેશમાં હાલ ડેઈલી પોઝિટિવિટી રેટ 7.98% થયો છે. જ્યારે કોરોનાથી રિકવરી રેટ 95.64 છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube