નવી દિલ્હી: કોરોના વાયરસની ત્રીજી લહેર નબળી પડતી જોવા મળી રહી છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 70 હજારથી ઓછા નવા કેસ નોંધાયા છે. આ સાથે જ દેશમાં કોરોના સંક્રમિતોનો કુલ આંકડો હવે વધીને 4 કરોડ 23 લાખ 39 હજાર 611 પર પહોંચી ગયો છે. એક દિવસમાં કોરોનાથી 1188 લોકોના મોત થયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોનાના નવા કેસમાં ઘટાડો
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 67,597 દર્દીઓ નોંધાયા છે. જે ગઈ કાલ કરતા ઓછા છે. ગઈ કાલે 83,876 નવા દર્દીઓ નોંધાયા હતા. એક દિવસમાં 1,80,456 દર્દીઓ કોરોનાને માત આપીને રિકવર પણ થયા છે. રિકવર થનારા દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે જે સારા સંકેત છે. જ્યારે એક્ટિવ કેસ ઘટી રહ્યા છે. હાલ દેશમાં 9,94,891 દર્દીઓ સારવાર હેઠળ છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube