Corona Latest Update: દેશમાં વળી પાછા કારોનાના કેસ વધી રહ્યા છે જે જોતા ચોથી લહેરના ભણકારા વાગી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 7240 કેસ નોંધાયા છે. કોરોનાથી એક દિવસમાં 8 લોકોએ જીવ ગુમાવ્યા છે. કોરોનાા સતત વધી રહેલા કેસે કેન્દ્ર અને રાજ્ય સરકારોની ચિંતા વધારી દીધી છે. પહેલી માર્ચ બાદ સૌથી વધુ નવા કેસ નોંધાયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે સવારે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના નવા 7,240 દર્દીઓ નોંધાયા છે. હાલ 32,498 દર્દીઓ સારવાર હેઠળ છે. કોરોનાથી કુલ મૃત્યુની વાત કરીએ તો અત્યાર સુધીમાં 524723 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યા છે. કોરોના માત આપવા માટે દેશમાં રસીકરણ અભિયાન પણ પૂરજોશમાં ચાલુ છે. અત્યાર સુધીમાં કોરોના રસીના 1,94,59,81,691 ડોઝ અપાયા છે. જેમાં ગઈ કાલે અપાયેલા 15,43,748 ડોઝ પણ સામેલ છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube