નવી દિલ્હી: કોરોના (Corona Virus) એ ફરી એકવાર રૌદ્ર સ્વરૂપ ધારણ કરવા માંડ્યું છે. નવા કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. આજ કારણે માર્ચના 15 દિવસમાં જ નવા કેસની સંખ્યા બમણી થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 24,492 દર્દીઓ નોંધાયા છે. જે 1 માર્ચ 2021ના નવા કેસના આંકડા કરતા બમણા છે. અત્રે જણાવવાનું કે એક માર્ચના રોજ ભારતમાં કોરોનાના કુલ 11563 નવા કેસ નોંધાયા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક જ દિવસમાં કોરોનાના 24 હજારથી વધુ કેસ, 131 મોત
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 24,492 દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ કુલ કેસનો આંકડો 1,14,09,831 પર પહોંચી ગયો છે. જેમાંથી 1,10,27,543 લોકો રિકવર થયા છે જ્યારે 2,23,432 લોકો હજુ પણ સારવાર હેઠળ છે. એક જ દિવસમાં કોરોના (Corona Virus) થી 131 લોકોના મોત થયા છે. દેશમાં કોરોનાથી કુલ મૃત્યુનો આંકડો હવે 1,58,856 પર પહોંચી ગયો છે. રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કુલ 3,29,47,432 લોકોને રસી આપવામાં આવી છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube