મુંબઈ: દેશના અનેક રાજ્યોમાં કોવિડ 19ના કેસ રોકેટ ગતિથી વધી રહ્યા છે. મહારાષ્ટ્ર અને ગુજરાત સહિત અનેક રાજ્યોમાં હાલાત ચિંતાજનક છે. કોરોના સંક્રમિતોની સંખ્યા સતત વધી રહી છે. કેન્દ્ર સરકારે આજે જાહેર કરેલા આંકડા મુજબ દેશમાં એક જ દિવસમાં કોરોનાના 47 હજારથી વધુ નવા દર્દીઓ નોંધાયા છે. રાજ્યો અને કેન્દ્ર સરકાર કોરોનાને કાબૂમાં લેવા માટે સતત આકરા પગલા લઈ રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દેશમાં કોરોનાના 47 હજારથી વધુ નવા કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકની અંદર કોરોનાના નવા 47,262 દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ કોરોનાના કેસનો આંકડો 1,17,34,058 પર પહોંચી ગયો છે. જેમાંથી 1,12,05,160 લોકો સાજા થયા છે અને 3,68,457 લોકો હજુ પણ સારવાર હેઠળ છે. એક જ દિવસમાં કોરોનાથી 275 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ સાથે કુલ મૃત્યુનો આંકડો 1,60,441 થયો છે. કોરોના રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 5,08,41,286 લોકોને રસી આપવામાં આવી છે. 


મહારાષ્ટ્રમાં સ્થિતિ ચિંતાજનક
ICMR મુજબ મંગળવારે જે 275 લોકોએ જીવ ગુમાવ્યા તેમાંથી 132 મોત મહારાષ્ટ્રમાં, 53 પંજાબમાં, 20 છત્તીસગઢ અને 10 મોત કેરળમાં થયા છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં કુલ 53,589 લોકોએ જીવ ગુમાવ્યા છે. 


Sachin Vaze Case માં હવે આ ગુજરાતની મહિલા કોણ? જેના હાથમાં જોવા મળ્યું નોટ ગણવાનું મશીન


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube