નવી દિલ્હી: સતત વધી રહેલો કોરોના હવે ડરાવવા લાગ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 12 હજારથી વધુ કેસ નોંધાયા છે જે ચિંતાજનક છે. છેલ્લા એક અઠવાડિયામાં નવા કેસમાં તેજી આવી છે. ત્યારબાદ એક્ટિવ કેસની સંખ્યામાં પણ ચોંકાવનારો વધારો થયો છે. જો કે આ બધા વચ્ચે એક્સપર્ટ્સનું કહેવું છે કે કોવેક્સીનનો બુસ્ટર ડોઝ કોવિડ-19ના ડેલ્ટા અને ઓમિક્રોન વેરિએન્ટ વિરુદ્ધ રસીના પ્રભાવને વધારે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક દિવસમાં આટલા નવા કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે બહાર પાડેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 12,781 કેસ નોંધાયા છે. જ્યારે 18 લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યા છે. એક દિવસમાં 8,537 લોકોએ કોરોનાને માત પણ આપી છે. હાલ દેશમાં 76,700 કોરોના દર્દીઓ સારવાર હેઠળ છે. ડેઈલી પોઝિટિવિટી રેટ 4.32% થયો છે. રસીકરણની વાત કરીએ તો અત્યાર સુધીમાં દેશમાં કોરોના રસીના 1,96,18,66,707 ડોઝ અપાયા છે. 


આ છે દુનિયાનો એવો 'અનોખો' આશ્રમ, જ્યાં પત્ની પીડિત પતિઓ ઠાલવે છે પોતાની વ્યથા


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube