નવી દિલ્હી: કોરોનાના નવા કેસમાં સામાન્ય ઘટાડો થયો છે પરંતુ હજુ પણ કેરળ સહિત કેટલાક રાજ્યો ચિંતાનો વિષય બની રહ્યા છે. આજે બહાર પડેલા આંકડા મુજબ દેશભરમાં છેલ્લા 24 કલાકમાં 41 હજારથી વધુ કેસ નોંધાયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

છેલ્લા 24 કલાકમાં 41 હજારથી વધુ નવા કેસ
દેશમાં છેલ્લા 24 કલાકમાં 41,649 નવા કેસ નોંધાયા છે. આ સાથે કુલ કેસનો આંકડો 3,16,13,993 પર પહોંચી ગયો છે. હાલ દેશમાં 4,08,920 દર્દીઓ સારવાર હેઠળ છે. એક દિવસમાં 37,291 દર્દીઓ રિકવર પણ થયા છે. કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા 3,07,81,263 થઈ છે. 


એક દિવસમાં 593 દર્દીઓના મોત
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ દેશભરમાં છેલ્લા 24 કલાકમાં 593 દર્દીઓનો મોત થયા છે. આ સાથે કોરોનાથી કુલ મૃત્યુનો આંકડો 4,23,810 પર પહોંચી ગયો છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube