નવી દિલ્હી: દેશભરમાં કોરોના વાયરસ (Corona Virus) ના નવા દર્દીઓમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 26,291 દર્દીઓ નોંધાયા છે. મહારાષ્ટ્ર (Maharashtra) સહિત અનેક રાજ્યોની સ્થિતિ ચિંતામાં વધારો કરી રહી છે. મહારાષ્ટ્રમાં કોરોનાના વધતા પ્રકોપના પગલે તાબડતોબ કડક પગલાં લેવાઈ રહ્યા છે. આજથી નાગપુરમાં લોકડાઉન લાગ્યું છે. આ લોકડાઉન એક અઠવાડિયા માટે રહેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દેશમાં છેલ્લા 24 કલાકમાં 26 હજારથી વધુ કેસ
સમગ્ર દેશમાં કોરોનાના કુલ કેસની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં કોરોનાના 26,291 નવા દર્દીઓ ઉમેરાયા છે. આ સાથે જ કુલ કેસનો આંકડો 1,13,85,339 પર પહોંચી ગયો છે. જેમાંથી 1,10,07,352 લોકો સાજા થયા છે જ્યારે 2,19,262 લોકો હજુ પણ સારવાર હેઠળ છે. એક જ દિવસમાં કોરોનાથી 118 લોકોના મૃત્યુ થયા છે. કોરોનાથી કુલ મૃત્યુનો આંકડો 1,58,725 પર પહોંચી ગયો છે. દેશમાં કોરોના સામેની જંગમાં રસીકરણ અભિયાન પણ ચાલુ છે. અત્યાર સુધીમાં 2,99,08,038 લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે. 


PHOTOS: BJP સાંસદની પુત્રવધુએ પતિ અને સસરા પર લગાવ્યાં ગંભીર આરોપ, જાણો શું છે મામલો

Mamata Banerjee નો આ એક નિર્ણય માસ્ટર સ્ટ્રોક સાબિત થશે!, જાણો કેવી રીતે BJP ને થઈ શકે છે નુકસાન


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube