નવી દિલ્હી: સીએમ અરવિંદ કેજરીવાલે કોરોના વાયરસ (CoronaVirus)ના હાલાત પર નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે દિલ્હીમાં પરિસ્થિતિ પર કાબુમાં છે. મરકઝના 1810 લોકોને કવોરન્ટાઇન કરવામાં આવ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સીએમ કેજરીવાલે કહ્યું કે કોરોના વાયરસના લક્ષણોથી ગ્રસ્ત 766 લોકો દિલ્હીની અલગ અલગ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. દિલ્હીમાં કોરોના વાયરસથી સંક્રમિત 120માંથી 29 લોકો પહેલાથી જ સંક્રમિત લોકોના સંપર્કમાં આવવાથી સંક્રમણની ઝપેટમાં આવ્યા હતા.


કેજરીવાલે કહ્યું કે દિલ્હીમાં 112 લોકો અત્યાર પણ કોરોના વાયરસથી સંક્રમિત છે. અમે કેન્દ્રથી તપાસ કિટ અને અન્ય ચિકિસ્તા ઉપકરણ મોકલાવવા અનુરોધ કર્યો છે.