નવી મુંબઈ: કોરોના વાયરસે દેશમાં સૌથી વધુ જ્યાં કેર વર્તાવ્યો છે તે મહારાષ્ટ્ર રાજ્ય છે. અહીં અત્યાર સુધીમાં 16758 જેટલા કેસ સામે આવ્યાં છે. જ્યારે 651 લોકોએ જીવ ગુમાવ્યાં છે. સૌથી વધુ કેસ મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં જોવા મળ્યા છે. નવી મુંબઈના એપીએમસી (Agricultural Produce Market Committee) માર્કેટમાં કામ કરનારા પર કોરોનાનો પ્રકોપ જોવા મળ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દેશમાં કોરોનાના દર્દીઓનો આંકડો 52 હજારને પાર, અત્યાર સુધીમાં 1783 લોકોએ જીવ ગુમાવ્યાં


માર્કેટ અને તેની સાથે જોડાયેલાઓમાંથી અત્યાર સુધીમાં  117 લોકો કોરોના પોઝિટિવ નીકળ્યા છે. જેમાંથી 55 લોકો એવા છે કે જેઓ એપીએમસીમાં કામ કરે છે જેમ કે વેપારી, કર્મચારી અને મજૂરો. જ્યારે 62 લોકો તેમના પરિવારજનો અથવા તેમના નીકટના લોકો છે. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube