નવી દિલ્હી : કોરોના વાયરસના વધતા કેસ પર નિયંત્રણ લગાવવા માટે કરવામાં આવેલા લોકડાઉનના કારણે દેશની અર્થ વ્યવસ્થા પર માઠી અસર પડવાની છે. જોકે, આ અસરને દૂર કરવા માટે પણ સરકાર પણ પુરજોશમં પ્લાનિંગ કરી રહી છે. મળતી માહિતી પ્રઆણે કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં 1.5 લાખ કરોડ રૂપિયાના આર્થિક પ્રોત્સાહન પેકેજની જાહેરાત કરી શકે છે. મળતી માહિતી પ્રમાણે સરકારે હજી પેકેજને અંતિમ સ્વરૂપ આપ્યું નથી અને તેના પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઓફિસ, નાણા મંત્રાલય તથા ભારતીય રિઝર્વ બેંક વચ્ચે વાતચીત ચાલી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેન્દ્ર સરકાર સાથે સંકળાયેલા ટોચના અધિકારીએ આપેલી માહિતી પ્રમાણે આ પ્રોત્સાહન પેકેજ 2.3 લાખ કરોડ રૂપિયા સુધીનું હોઈ શકે છે. આ રૂપિયાનો ઉપયોગ 10 કરોડ જનતાના એકાઉન્ટમાં રૂપિયા સીધા ટ્રાન્સફર કરવા અને લોકડાઉનથી વધારે અસરગ્રસ્ત થયેલા બિઝનેસની મદદ કરવા માટે કરવામાં આવી શકે છે.


હાલમાં દેશ કોરોના વાયરસને કારણે ઉભી થયેલી પરિસ્થિતિમાં આર્થિક મોરચે લડત લડી રહ્યો છે ત્યારે ભારતના નાણામંત્રી નિર્મલા સીતારમણે દેશવાસીઓને મોટી રાહત આપી છે. નાણાકીય વર્ષ 2018-19 માટે આવકવેરા રિટર્ન ફાઈલ કરવાની તારીખ 30મી જૂન સુધી આગળ વધારી છે. નાણામંત્રીએ કહ્યું કે કોરોનાને પહોંચી વળવા માટે બહુ જલદી રાહત પેકેજ બહાર પાડવામાં આવશે. રાહત પેકેજ પર કામ હજુ ચાલુ છે. તેમણે કહ્યું કે કોરોના સામે લડત લડવા માટે લોકડાઉન કરાયું છે. કોરોનાથી બચવા માટે જરૂરી પગલાં લેવાયા છે. 


આ ઉપરાંત નાણાકીય વર્ષ 2018-19ના ઈન્કમ ટેક્સ રિટર્ન ભરવામાં મોડું થાય તો પેનલ્ટીને પણ 12 ટકાથી ઘટાડીને 9 ટકા કરવામાં આવી છે. આધાર-પેન લિંક કરવાની તારીખ પણ આગળ વધારીને 30 જૂન કરવામાં આવી છે. 'વિવાદથી વિશ્વાસ'ની સ્કીમની તારીખ પણ 30 જૂન સુધી વધારવામાં આવી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube