નવી દિલ્હીઃ ચીનના વુહાનથી પરત ફરેલા તમામ 406 લોકોની અંતિમ તપાસમાં તે કોરોના વાયરસથી ચેપગ્રસ્ત ન હોવાની પુષ્ટિ થઈ છે. આ તમામ લોકોને આઈટીબીપીના એક અલગ કેન્દ્રમાં રાખવામાં આવ્યા છે. તેને તબક્કાવાર રીતે સોમવારે સવારથી રજા આપવામાં આવશે. અધિકારીઓએ આ જાણકારી આપી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડોક્ટરોની એક ટીમે શુક્રવારે અહીં ભારત તિબેટ સરહદ પોલીસ (આઈટીબીપી)ના પૃથક કેન્દ્રથી આ તમામ લોકોના નમૂના એકત્ર કર્યાં હતા. આઈટીબીના પ્રવક્તાએ રવિવારે કહ્યું કે, તમામ લોકોના નમૂનાની તપાસ બાદ તે વાતની ખારતી થઈ છે કે તેમાંથી કોઈપણ વ્યક્તિ કોરોના વાયરસથી ચેપગ્રસ્ત નથી. 


કોરોનાનો કહેરઃ ચીનમાં અત્યાર સુધી 1,665 મોત, ફ્રાન્સમાં પણ એકે જીવ ગુમાવ્યો  


તેમણે કહ્યું કે, સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા યોગ્ય મેડિલક પ્રોસેસ અને પ્રોટોકોલની સાથે જારી કરવામાં આવેલા પરામર્શના આધાર પર તમામ 406 વ્યક્તિઓની સોમવારે તબક્કાવાર રજા થઈ જશે. ઉલ્લેખનીય છે કે મંત્રાલયે કહ્યું હતું કે, 15 જાન્યુઆરી બાદ કોઈપણ ભારતીય ચીનથી આવશે તો તેને સાવધાનીના ભાગરૂપે પૃથક કેન્દ્રમાં રાખવામાં આવશે. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...