Corona Latest Update: ભારતમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. નવા કેસમાં 23.4 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના 12249 નવા કેસ નોંધાયા છે. કોરોનાથી એક દિવસમાં 13 દર્દીઓના જીવ ગયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવા કેસમાં ચિંતાજનક ઉછાળો
દેશમાં કોરોનાના નવા કેસમાં 23.4 ટકાનો ઉછાળો નોંધાયો છે. આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ દેશભરમાંથી છેલ્લા 24 કલાકમાં 12249 નવા કેસ નોંધાયા છે. જ્યારે આ પહેલા ગઈ કાલે બહાર પડેલા આંકડા મુજબ કોરોનાના નવા 9923 કેસ નોંધાયા હતા. 


81687 એક્ટિવ કેસ
એક્ટિવ કેસની સંખ્યા પણ સતત વધી રહી છે. હાલ દેશમાં 81687 કોરોના દર્દીઓ સારવાર હેઠળ છે. 4,27,25,055 લોકો કોરોનાને માત આપીને અત્યાર સુધીમાં સાજા થયા છે. જ્યારે મહામારીના કારણે અત્યાર સુધીમાં 5,24,903 લોકોએ જીવ ગુમાવ્યા છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube