નવી દિલ્હીઃ કોરોના વેક્સિનેશન (Corona vaccination) ને લઈને ભારત સરકારે બુધવારે મોટી જાહેરાત કરી છે. દેશમાં 1 માર્ચથી 60  વર્ષથી મોટી ઉંમરના લોકોને વેક્સિન આપવાની શરૂઆત કરવામાં આવશે. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર (Prakash Javadekar) એ બુધવારે કેબિનેટના નિર્ણયની જાણકારી આપતા આ જાહેરાત કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રકાશ જાવડેકર પ્રમાણે 1 માર્ચથી 45 વર્ષથી વધુ ઉંમરના લોકોને વેક્સિન  (Corona vaccination) આપવામાં આવશે જેને કોઈ ગંભીર બીમારી છે. દેશના જે 10 હજાર સરકારી સેનટ્ર પર લોકો વેક્સિન લગાવવા આવશે તેને વેક્સિન ફ્રીમાં આપવામાં આવશે. 


પ્રકાશ જાવડેકરે જણાવ્યુ કે, જે લોકો ખાનગી હોસ્પિટલમાં વેક્સિન લગાવશે, તેણે પૈસા આપવા પડશે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જલદી રસીની કિંમત જાહેર કરવામાં આવશે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube