નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસની બીજી લહેર કહેર મચાવી રહી છે. દેશભરમાંથી જે મોતના આંકડા આવી રહ્યા છે તે ખરેખર ડરામણા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે સવારે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશભરમાંથી કોરોનાના નવા 3.48 લાખથી વધુ દર્દીઓ નોંધાયા છે. આ સાથે મૃત્યુઆંકમાં પણ મોટો ઉછાળો જોવા મળ્યો છે. એક દિવસમાં 4200થી વધુ દર્દીઓએ જીવ ગુમાવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક દિવસમાં 3.48 લાખથી વધુ કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે સવારે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશભરમાંથી કોરોનાના નવા 3,48,421 દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ કેસનો આંકડો 2,33,40,938 પર પહોંચી ગયો છે. જેમાંથી 1,93,82,642 દર્દીઓ રિકવર થયા છે. જેમાંથી 3,55,338 દર્દીઓ છેલ્લા 24 કલાકમાં રિકવર થયા છે. જો કે હજુ પણ દેશમાં 37,04,099 એક્ટિવ કેસ છે. એક દિવસમાં 4205 દર્દીઓએ કોરોનાથી જીવ ગુમાવ્યો છે. આ સાથે કુલ મૃત્યુનો આંકડો 2,54,197 પર પહોંચી ગયો છે. રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 17,52,35,991 લોકોને રસી આપવામાં આવી છે. 


ગઈ કાલે 19 લાખથી વધુ ટેસ્ટ કરાયા
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના (ICMR) ના જણાવ્યાં મુજબ ગઈ કાલે દેશભરમાં 19,83,804 જેટલા કોરોનાના ટેસ્ટ કરાયા હતા. આ સાથે અત્યાર સુધીમાં કુલ કરાયેલા ટેસ્ટનો આંકડો 30,75,83,991 પર પહોંચ્યો છે. 


ગુજરાતમાં કોરોનાના કેસ ઘટ્યા
ગુજરાતની વાત કરીએ તો ગઈ કાલે રાજ્ય આરોગ્ય વિભાગે જાહેર કરેલી માહિતી મુજબ એક દિવસમાં કોરોનાના 10990 દર્દીઓ નોંધાયા જ્યારે 118 દર્દીઓએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યા. નવા કેસની સામે રિકવર થયેલા દર્દીઓની સંખ્યા વધેલી જોવા મળી. એક દિવસમાં 15198 દર્દીઓએ કોરોનાને માત આપી.


Corona Vaccine: ત્રીજી લહેરનો સામનો કરવાની તૈયારી!, બાળકો પર રસીની ટ્રાયલ માટે ભારત બાયોટેકને મળી મંજૂરી


કોટા કરતા વધુ ખરીદી નહી
કેન્દ્ર સરકારે સુપ્રીમમાં કહ્યું છે કે રાજ્ય રસી નિર્માતાઓ પાસેથી રસી ખરીદી રહ્યા છે. જ્યારે કેન્દ્ર સરકારે રસી નિર્માતાઓ સાથે ચર્ચા કરીને પ્રત્યેક રાજ્યની 18-44 વર્ષની વસ્તીના આધારે કોટા નિર્ધારીત કર્યો છે. હવે રાજ્યો ફક્ત કોટા પ્રમાણે જ નિર્ધારિત માત્રામાં રસી ખરીદી શકશે. જેથી કરીને રાજ્યો વચ્ચે રસીની ઉપલબ્ધતામાં કોઈ અસમાનતા ન થાય. 


રસી નિર્માતાઓ માટે પણ બનાવ્યા નિયમ
કેન્દ્ર સરકારે દેશના રસી નિર્માતાઓ માટે પણ નિયમ બનાવ્યા છે. જે હેઠળ કંપનીઓને રસીના સ્ટોકની 50 ટકા આપૂર્તિ કેન્દ્ર સરકારને કરવાની છે. જ્યારે બાકીની રસીને કંપનીઓ ખાનગી ખરીદારો કે રાજ્ય સરકારોને વેચી શકે છે. અત્રે જણાવવાનું કે દેશમા 18થી 44 વર્ષની વચ્ચેના લગભગ 60 કરોડ લોકો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube