નવી દિલ્હી: રાજધાની દિલ્હી (Delhi) માં કોરોના વાયરસના પ્રકોપને પગલે હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર બોજો વધી રહ્યો છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના જણાવ્યાં મુજબ છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના લગભગ 25500 નવા કેસ આવ્યા છે. તેમણે  કહ્યું કે દિલ્હીમાં કોવિડ-19નો પોઝિટિવિટી રેટ લગભગ 30 ટકા થઈ ગયો છે. તેમના જણાવ્યાં મુજબ કેસ ખુબ ઝડપથી વધી રહ્યા છે જે ચિંતાનો વિષય છે. મુખ્યમંત્રી કેજરીવાલે આજે જે વાતો કરી તે ખરેખર ચિંતાજનક અને ડરામણી છે. તેમણે કહ્યું કે હોસ્પિટલોમાં દાખલ થનારા દર્દીઓની સંખ્યા વધી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

100થી પણ ઓછા ICU બેડ બચ્યા- કેજરીવાલ
દિલ્હી સીએમએ આજે બપોરે પ્રેસ કોન્ફરન્સ કરી અને કહ્યું કે કોરોનાના બેડ ખુબ ઝડપથી ખતમ થઈ રહ્યા છે. ICU બેડની ખુબ કમી થઈ છે. સમગ્ર દિલ્હીમાં 100થી પણ ઓછા ICU બેડ બચ્યા છે. ઓક્સિજનની પણ ખુબ કમી છે. અમે સતત કેન્દ્ર સરકારના સંપર્કમાં છીએ અને અમને કેન્દ્ર સરકાર તરફથી મદદ મળી રહી છે. 


Corona Update: કોરોનાની અત્યંત ભયાનક સ્થિતિ, નવા કેસ અને મૃત્યુઆંકમાં જબરદસ્ત મોટો ઉછાળો, તમામ રેકોર્ડ ધ્વસ્ત


Covid-19: દેશમાં કોરોના કાબૂ બહાર, રાહુલ ગાંધીએ બંગાળમાં ચૂંટણી રેલીઓ રદ કરી


Coronavirus: Kumbh Mela માંથી પાછા ફરેલા લોકો માટે દિલ્હી સરકારે લીધો મોટો નિર્ણય


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube