Cyclonic Storm Alert: ચોમાસાની વિદાયના સમયે, દક્ષિણ ભારતમાં (South India) ફરી એકવાર ચક્રવાતી તોફાનનો (Cyclonic storm) ખતરો તોળાઈ રહ્યો છે. દક્ષિણ પશ્ચિમ  (Monsoon) ચોમાસું ચાલ્યું ગયું છે અને ઉત્તર પૂર્વ ચોમાસું સક્રિય થઈ ગયું છે. IMDએ અપડેટ આપતા  જણાવ્યું છે કે બંગાળની ખાડી અને આંદામાન સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન (cyclonic abstract structure) સાથે લો પ્રેશર એરિયા બનતાં ચક્રવાતી તૂફાન દાના (Cyclonic Storm Dana)સક્રિય બન્યું છે. અને આ વાવાઝોડું 23-24 ઓક્ટોબરે દક્ષિણ ભારતના દરિયાકાંઠે ટકરાઈ શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાવાઝોડાની સંભાવનાને જોતા IMDએ દક્ષિણ ભારતના 4 રાજ્યોમાં એલર્ટ જાહેર કર્યું છે. તમને જણાવી દઈએ કે 100 થી 120 કિલોમીટરની ઝડપે તોફાની પવન ફૂંકાવાની સંભાવના છે. ભારે વરસાદની પણ સંભાવના છે. હવામાન વિભાગની ચેતવણીને ધ્યાનમાં રાખીને, રાજ્ય સરકારે લોકોને ઘરની અંદર રહેવાની સલાહ આપી છે અને શાળા-કોલેજો બંધ કરી શકાય છે અને નોકરિયાતોને ઘરેથી કામ કરવાનો આદેશ પણ આપી શકાય છે.


આ 4 રાજ્યોમાં તબાહી મચશે
હવામાન વિભાગ (IMD) એ તામિલનાડુ, આંધ્રપ્રદેશ, પુડુચેરી, કર્ણાટકમાં 26 ઓક્ટોબરે ભારે વરસાદની ચેતવણી આપી છે. આ 4 રાજ્યોના હવામાનની અસર ગોવા, મહારાષ્ટ્ર, છત્તીસગઢમાં પણ જોવા મળશે. જ્યાં હળવોથી મધ્યમ વરસાદ પડશે.


ભારતીય હવામાન વિભાગ (IMD) એ માછીમારોને સલામત રહેવાની સલાહ આપતા 21 થી 26 ઓક્ટોબર સુધી દરિયામાં જવા પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કર્યો છે.


ગણતરીના કલાકોમાં ત્રાટકશે દાના વાવાઝોડું, અંબાલાલની આગાહી...ત્રણ વાવાઝોડાનું જોખમ


બંગાળની ખાડીમાં ચક્રવાત 'દાના'
મંગળવારથી બંગાળના ઘણા જિલ્લાઓમાં વરસાદ શરૂ થવાની સંભાવના છે, જે શનિવાર સુધી ચાલુ રહી શકે છે. માછીમારોને દરિયામાં જવાની મનાઈ ફરમાવવામાં આવી છે. પૂર્વ મેદિનીપુર અને દક્ષિણ 24 પરગણા જિલ્લામાં સૌથી વધુ વરસાદ થવાની સંભાવના છે. રાજ્યના મુખ્ય સચિવ મનોજ પંતે અસરગ્રસ્ત જિલ્લાઓના અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી છે.


રજાઓ રદ કરી દેવાઈ
આ ચક્રવાતને જોતા ઓડિશા સરકારે તમામ કર્મચારીઓની રજાઓ રદ કરી દીધી છે. વિશેષ રાહત કમિશનર (SRC) દેવ રંજન સિંહે રવિવારે એક બેઠક બોલાવી અને તમામ સરકારી કર્મચારીઓને તેમના સ્થાને રહેવા અને તેમની ફરજો બજાવવાનો નિર્દેશ આપ્યો.


ઓડિશાના દરિયાકાંઠે વાવાઝોડાની શક્યતા
હવામાન વિભાગે હાલમાં જ ચક્રવાત અંગે માહિતી આપી છે કે 21 ઓક્ટોબર સુધી આંદામાન સમુદ્રમાં પવનની ઝડપ 35-55 કિમી પ્રતિ કલાક રહેવાની શક્યતા છે. 22 ઓક્ટોબરની સાંજ સુધીમાં સ્પીડ 55-75 kmph સુધી પહોંચી શકે છે. 24 ઓક્ટોબરની સાંજથી 25 ઓક્ટોબરની સવાર સુધી ચક્રવાતની ઝડપ વધીને 100-120 કિમી પ્રતિ કલાક થવાની ધારણા છે. આ પછી, તેની તીવ્રતા ઘટી શકે છે. આ દરમિયાન દેશના વિવિધ ભાગોમાં વરસાદની પણ શક્યતા છે.


મધ્યપ્રદેશમાં વરસાદની ચેતવણી
ભારતીય હવામાન વિભાગે દક્ષિણ દ્વીપકલ્પના ભારતમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. 24 અને 25 ઓક્ટોબરે મધ્યપ્રદેશના ઘણા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. વિભાગનું કહેવું છે કે મધ્યપ્રદેશમાં આગામી ત્રણ દિવસ સુધી હવામાન ખરાબ રહેશે. આ ઉપરાંત ઓક્ટોબરના અંત સુધીમાં રાજ્યમાં ઠંડીનો ચમકારો શરૂ થઈ શકે છે.