નવી દિલ્હી: ચક્રવાત ફાની આજે સવારે લગભગ 8 કલાકે ઓડિશાના તટ પર ટકરાયું છે. પુરી સહિત અન્ય દરિયાકાંઠાના વિસ્તારોમાં તેના કારણે 200 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. આ સાથે જ ભારે વરસાદ પણ ચાલુ છે. જેના કારણે પુરી અને ભુવનેશ્વરમાં અનેક સ્થળો પર ઝાડ અને વીજળીના થાંભલા ઊખડી ગયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્ય સરકારે ઓડિશામાં લગભગ 11 લાખ લોકોને સુરક્ષિત સ્થળો પર મોકલ્યા છે. આ સાથે જ લોકોને ઘરમાં રહેવાની સલાહ આપવામાં આવી છે. ઓડિશાના 17 જિલ્લાઓને તોફાનને લઈને અલર્ટ કરાયા છે. તમામ શાળા કોલેજો બંધ રખાઈ છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...