ભુવનેશ્વરઃ ચક્રવાતી તોફાન 'ગુલાબ' (Cyclone Gulab) ને કારણે ઓડિશા-આંધ્રપ્રદેશમાં ભારે વરસાદ શરૂ થઈ ગયો છે. આંધ્રપ્રદેશના શ્રીકાકુલમ જિલ્લાથી 1100 લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે. જિલ્લા તંત્રનું કહેવું છે કે આગામી બે કલાક મહત્વની છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુલાબ તોફાનથી બે માછીમારોના મોત
આંધ્ર પ્રદેશના શ્રીકાકુલમ જિલ્લામાં રહેતા બે માછીમારોના રવિવારે સાંજે બંગાળની ખાડીમાં આવેલા ગુલામ તોફાનની ઝપેટમાં આવવાથી મોત થયા છે. જ્યારે એક હજુ લાપતા છે. તો ત્રણ અન્ય માછીમારોને કિનારા પર લાવવામાં સફળતા મળી છે. તેમણે અક્કુપલ્લી ગામથી રાજ્યના મત્સ્ય મંત્રી એસ અપ્પાલા રાજૂને ફોન કરી સ્વયં સુરક્ષિત હોવાની જાણકારી આપી છે. 


એનડીઆરએફ ઇન્સ્પેક્ટરનું નિવેદન
એનડીઆરએફના ઇન્સ્પેક્ટર અમિત ગુપ્તાએ કહ્યુ કે ગંજામ જિલ્લામાં અમારી ત્રણ ટીમ છે. અમારી પાસે કટિંગ ઉપકરણ અને પુરથી સંબંધિત ઉપકરણ છે, ચક્રવાત બાદ અહીં નિચલા વિસ્તારમાં પૂર આવે છે તો અમારી પાસે ચાર હોળી છે. જેનાથી અમે ફસાયેલા લોકોને બચાવી શકીએ છીએ. અમે અમારા બ્લોક તંત્રના સંપર્કમાં છીએ. 

ભારે પવન સાથે જોરદાર વરસાદ
જિલ્લાના જોઈન્ટ કલેક્ટર સુમિત કુમારે કહ્યુ કે NDRF-SDRF ની 6 ટીમની સાથે તંત્રની રેસ્ક્યૂ ટીમ પણ તૈયાર છે. હાલ જિલ્લામાં ભારે વરસાદ થઈ રહ્યો છે. ઘણી જગ્યાએ પૂર જેવી સ્થિતિ છે. આશરે 90-100ની ગતિએ પવન ફૂંકાઈ રહ્યો છે. સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube