મુંબઇ: વાવાઝોડું નિસર્ગે એન્ટ્રી મારી દીધી છે. અલીબાગ અને રત્નાગિરીમાં ભારે પવન સાથે ઊંચા મોજા ઉછળવાના શરૂ થઈ ગયા છે. નિસર્ગ વાવાઝોડાને ધ્યાનમાં રાખી મુંબઇના બાંદ્રા-વર્લીથી લિંક પર વાહનોની અવર જવર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જો કે, મુંબઇમાં આવનાર વાવાઝોડું 50 કિલોમીટર દક્ષિણમાં જતુ રહ્યું છે. જેનાથી મુંબઇ પર તેનો ખતરો ટળ્યો છે.


ઉલ્લેખનીય છે કે, બાંદ્રા-વર્લીથી લિંક સમુદ્ર પર બન્યું છે અને વાવાઝોડુંને ધ્યાનમાં લઈ ઉંચા ઉઠળતા મોજાથી ખતરો હોઈ શકે છે. એટલા માટે ટ્રાફિક પોલીસે વાહન વ્યવહાર પર પ્રતિબંધ લગાવ્યો છે. વાવાઝોડું નિસર્ગના કારણે મુંબઇના રાણીબા પ્રાણી સંગ્રહાલયમાંથી જાનવરોને સુરક્ષિત જગ્યા પર શિફ્ટ કરવામાં આવ્યા છે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube