નવી દિલ્હીઃ દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં હાલ ભીષણ ગરમી પડી રહી છે અને લોકો કાળઝાળ ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. દેશમાં આ વખતે ચોમાસું એક સપ્તાહ મોડું શરૂ થયું છે. આ દરમિયાન હવે એક 'વાયુ' નામની એક નવી મુસિબત આવી છે. અરબી સમુદ્રમાં જન્મેલું 'વાયુ' નામનું વાવાઝોડું તેજ ગતીએ ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે, પરંતુ તેની અસર સમગ્ર દેશ પર પડી શકે છે. હવામાન ખાતાને એ ચિંતા થઈ ગઈ છે કે, આ 'વાયુ' વાવાઝોડું ક્યાંક દેશમાં જામેલા ચોમાસાના વાદળોને પણ પોતાની સાથે ખેંચીને ન લઈ જાય. જો, આમ થશે તો તેની સૌથી વધુ અસર ઉત્તર ભારતમાં થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

‘વાયુ’ વાવાઝોડાના પ્રકોપથી લોકોને બચાવશે સેના એરફોર્સની ટીમ, શું છે એક્શન પ્લાન? જાણો


વાયુ વાવાઝોડું વેરાવળથી માત્ર 350 કિમી દૂર, રૌદ્ર રૂપ દેખાયું, 23 તાલુકામાં પડ્યો વરસાદ


ગુજરાતમાં હાઈએલર્ટ 
'વાયુ' વાવાઝોડું અરબી સમુદ્રમાં 135 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. તે 13 જુનના રોજ સવારે અથવા બપોર સુધીમાં ગુજરાતના સમુદ્ર કાંઠાના વિસ્તારો વેરાવળ, પોરબંદર, દ્વારકા, જામનગર, ઓખા, કંડલા, ભાવનગર અને અન્ય નાના બંદરો પર અસર કરે તેવી સંભાવના છે. વાવાઝોડાના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં તોફાની પવનની સાથે ધોધમાર વરસાદની પણ સંભાવના વ્યક્ત કરાઈ છે. ધોધમાર વરસાદના કારણે અનેક નદીઓમાં પૂર પણ આવી શકે છે. 


મુંબઈમાં પણ અસર 
'વાયુ' વાવાઝોડું અરબી સમુદ્રમાં પેદા થયું હોવાના કારણે તેની અસર મુંબઈના સમુદ્રકાંઠાના વિસ્તાર પર પણ થવાની સંભાવના છે. મુંબઈના સમુદ્રકિનારાના વિસ્તારોમાં તોફાની પવન ફુંકાવાની શરૂઆત થઈ ગઈ છે. જેના કારણે માછીમારોને દરિયો ન ખેડવા સલાહ આપવામાં આવી છે. સાથે જ લોકોને પણ સમુદ્રની નજીક ન જવાની સલાહ અપાઈ છે. 


જૂઓ LIVE TV...


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....