નવી દિલ્હી: તૌકતે બાદ વધુ એક વાવાઝોડું દેશને ઘમરોળવા માટે તૈયાર છે. વાવાઝોડા યાસ Cyclone Yaas) ને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ આજે સવારે ઈમરજન્સી બેઠક બોલાવી છે. જેમાં વાવાઝોડા યાસને પહોંચી વળવા માટેની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવશે. આ બેઠકમાં નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી, ટેલિકોમ, પાવર, સિવિલ એવિએશન, અને અર્થ સાયન્સિસ મંત્રાલયના સચિવ સામેલ થશે. આ ઉપરાંત ગૃહમંત્રી અને અન્ય મંત્રીઓ પણ બેઠકમાં ભાગ લેશે. 


બંગાળ અને ઓડિશાના કાંઠા વિસ્તારોમાં ટકરાશે યાસ
અત્રે જણાવવાનું કે બંગાળની ખાડીમાં બનેલું હળવું દબાણ વિસ્તારમાં ચક્રવાતી તોફાન યાસ (Cyclone Yaas) માં ફેરવાઈ જાય તેની શક્યતા છે. યાસ 26મી મેના રોજ પશ્ચિમ બંગાળ અને ઓડિશા કાઠે પહોંચે તેવી શક્યતા છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube