નવી દિલ્હીઃ Diwali 2022 Will Bring Good Luck For These Zodiac Signs: દિવાળીનો તહેવાર ધનતેરસથી શરૂ થાય છે. આ પાંચ દિવસીય તહેવાર છે. હિન્દુ પંચાગ અનુસાર દર વર્ષે આસો માસની અમાસના દિવસે દિવાળીનો તહેવાર ઉજવવામાં આવે છે. આ વર્ષે દિવાળી 24 ઓક્ટોબર 2022ના ઉજવવામાં આવશે. દિવાળી પર ગ્રહ-નક્ષત્રોની સ્થિતિથી બનતા શુભ યોગ ઘણા રાશિના લોકો માટે લાભકારી માનવામાં આવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જ્યોતિષાચાર્યો અનુસાર દિવાળીના દિવસે અભિજીત મુહૂર્ત અને વૈધૃતિ યોગનો અદ્ભુત સંયોગ બની રહ્યો છે. આ સંયોગનું જ્યોતિષ શાસ્ત્રમાં વિશેષ મહત્વ છે. આ સંયોગ દરેક 12 રાશિઓ પર પોતાની અસર પાડશે, પરંતુ કેટલીક રાશિના જાતકો માટે ખુબ લાભકારી રહેવાની છે. જાણો દિવાળીના પાવન પર્વ પર કઈ રાશિઓ પર માં લક્ષ્મીની વિશેષ કૃપા રહેશે...


સિંહ રાશિઃ ગ્રહ-નક્ષત્રોની સ્થિતિ બનવાથી દિવાળી પર ખાસ સંયોગ સિંહ રાશિના જાતકો માટે લાભકારી રહેવાનો છે. આ રાશિના સ્વામી ગ્રહ સૂર્યદેવ છે. સિંહ રાશિના જાતકોને કરિયરમાં પ્રગતિ મળી શકે છે. શનિદેવની પણ તમારા પર કૃપા દ્રષ્ટિ રહેવાની છે. રોકાણનો લાભ મળશે. 


તુલા રાશિઃ તુલા રાશિના જાતકો માટે દિવાળીનો તહેવાર ખુશીથી ભરેલો રહેશે. આ રાશિના જાતકો માટે ગ્રહોનો ખાસ સંયોગ શુભ રહેવાનો છે. તમને ભાગ્યનો સાથ મળશે. તમે જે કામમાં હાથ નાખશો, તેમાં સફળતા મળશે. નોકરીના નવા અવસર પ્રાપ્ત થઈ શકે છે. આર્થિક સ્થિતિમાં સુધાર થશે. 


મકર રાશિઃ મકર રાશિના જાતકો માટે દિવાળી પર બનનાર અભિજીત મુહૂર્ત તથા વૈધૃતિ યોગ સૂર્યની સમાન ભાગ્ય ચમકાવી શકે છે. તમને નોકરીમાં પ્રમોશનની સાથે આવકમાં વધારો મળી શકે છે. તમારી આર્થિક સ્થિતિમાં સુધાર થશે. શુભ ફળોની પ્રાપ્તિ થશે. લાંબા સમયથી અટકેલું ધન પરત મળી શકે છે. આકસ્મિત ધનલાભનો યોગ બનશે. 


(આ લેખમાં આપવામાં આવેલી જાણકારી જ્યોતિષ અને સામાન્ય માન્યતાઓ પર આધારિત છે. ઝી 24 કલાક કોઈ દાવો કરતું નથી. તમે આ માટે કોઈ નિષ્ણાંતની સલાહ લઈ શકો છો)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube