નવી દિલ્હી : દિલ્હીને પુર્ણ રાજ્યનો દરજ્જો અપાવવાની માંગને રાજ્યના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એક વાર ફરીથી હવા આ મુદ્દાને ઉત્તેજન આપ્યું છે. દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે કહ્યું કે, સમગ્ર દેશમાં લોકશાહી સ્થાપિત છે, પરંતુ દિલ્હીમાં નથી. તેમણે કહ્યું કે રાજ્યની જનતા  મત આપીને એક સરકાર પસંદ કરે છે, પરંતુ દિલ્હી સરકાર પાસે કોઇ શક્તિ નથી. તેમણે કહ્યું કે, અમે 1 માર્ચથી દિલ્હીને પુર્ણ રાજ્યનો દરજ્જો અપાવવા માટે આંદોલન કરવા જઇ રહ્યા છીએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પઠાણનો પુત્ર અને સાચો હોય તો સાબિત કરે ઇમરાન PM મોદીની ચેલેન્જ

મુખ્યમંત્રી કેજરીવાલે જાહેરાત કરતા કહ્યું કે, હું દિલ્હીને પુર્ણ રાજ્યનો દરજ્જો અપાવવા માટે અનિશ્ચિતકાલીન ભુખ હડતાળ પર બેસીશ. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે, 1 માર્ચતી ચાલુ થનારુ આંદોલન ત્યા સુધી ખતમ નહી થાય, જ્યા સુધી દિલ્હીને પુર્ણ રાજ્યનો દરજ્જો નહી મળે. કેજરીવાલે કહ્યું કે, દિલ્હીની સમગ્ર જનતા ઇચ્છે છે કે પુર્ણ રાજ્યનો દરજ્જો અપાવવા માટે આંદોલન કરવામાં આવે. અત્રે ઉલ્લેખનીય છે કે, અરવિંદ કેજરીવાલ અગાઉ પણ અનેક વખત દિલ્હીને પુર્ણ રાજ્યનો દરજ્જો અપાવવાની માંગ કરી ચુક્યા છે. 


પ્લેન હાઇજેકિંગની ધમકી, સમગ્ર દેશનાં એરપોર્ટ્સ પર હાઇએલર્ટ

અત્રે ઉલ્લેખનીય છે કે, આગામી લોકસભા ચૂંટણી 2019ના મુદ્દે હાલમાં જ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એક જનસભા સંબોધિત કરતા કહ્યું હતું કે, ગઠબંધન માટે અમે કોંગ્રેસ સાથે ચર્ચા કરતા કરતા થાકી ગયા પરંતુ કોંગ્રેસે અમારી સાથે ગઠબંધન નથી કર્યુ. કોંગ્રેસ દિલ્હી અને ઉત્તરપ્રદેશમાં ભાજપને જીતાડવા માંગે છે. જેથી તે અમારી સાથે ગઠબંધન કરવા નથી માંગતું. જો કે આ વખતે અમે અમારી માંગ મુદ્દે ખુબ જ દ્રઢ નિર્ધાર સાથે આગળ વધી રહ્યા છીએ.