નવી દિલ્હી: આમ આદમી પાર્ટી ફરીથી દિલ્હીમાં જંગી બહુમતી સાથે સત્તામાં આવી છે. અરવિંદ કેજરીવાલ 16મી ફેબ્રુઆરીએ મુખ્યમંત્રી પદના શપથ લેવાના છે. આ શપથગ્રહણ સમારોહમાં પીએમ મોદીને પણ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે પીએમ મોદીને શપથગ્રહણ સમારોહમાં બોલાવ્યાં છે. અત્રે જણાવવાનું કે અરવિંદ કેજરીવાલ સતત ત્રીજીવાર દિલ્હીના મુખ્યમંત્રી પદના શપથ લેશે. 11 ફેબ્રુઆરીના રોજ દિલ્હી ચૂંટણીના પરિણામ જાહેર થયા હતાં. જેમાં આમ આદમી પાર્ટીને 70 બેઠકોમાંથી 62 બેઠક મળી હતી જ્યારે ભાજપને 8 અને કોંગ્રેસને શૂન્ય બેઠક મળી હતી. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...