નવી દિલ્હીઃ દિલ્હી ચૂંટણીમાં મતદાન દરમિયાન મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની વચ્ચે વાર-પલટવારનો દોર ચાલ્યો હતો. અરવિંદ કેજરીવાલે લોકોને મતદાન કરવાનું આહ્વાન કર્યું. ખાસ કરીને તેમણે મહિલાઓને મતદાન કરવાની અપીલ કરી. કેજરીવાલની આ અપીલ પર કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની ભડક્યા અને કહ્યું કે, કેજરીવાલ મહિલાઓને એટલા પણ સક્ષમ સમજતા નથી કે તે પોતાના મતથી મતદાન કરી શકે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મતદાન શરૂ થતા કેજરીવાલે ટ્વીટ કર્યું, 'બધી મહિલાઓને ખાસ અપીલ- જેમ તમે ઘરની જવાબદારી ઉઠાવો છો, તેમ દેશ અને દિલ્હીની જવાબદારી તમારા ખભા પર છે. તમે બધી મહિલાઓ મત આપવા જરૂર જાવ અને તમારા ઘરના પુરૂષોને પણ લઈ જાવ. પુરૂષો સાથે ચર્ચા જરૂર કરો કે મત કોને આપવો યોગ્ય રહેશે. આ ટ્વીટ બાદ મોટી સંખ્યામાં લોકો પ્રતિક્રિયા આપી રહ્યાં છે. 


મુસ્લિમોએ સુવર્ણ મંદિરની બહાર પઢી નમાજ, સંબિત પાત્રાનો સવાલ- મસ્જિદ બહાર કરી શકીએ યજ્ઞ?

મહત્વનું છે કે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક નવી દિલ્હી વિધાનસભા ક્ષેત્રથી ત્રીજીવાર ચૂંટણી લડી રહ્યાં છે. જો તે ફરી જીતી જાય છે તો આ સીટથી અને મુખ્યપ્રધાનના રૂપમાં કાર્યકાળ માટે એક હેટ્રિક હશે. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...