નવી દિલ્હીઃ 7 લોક કલ્યાણ માર્ગ સ્થિત વડાપ્રધાન આવાસમાં આગ લાગી છે. આગને કાબુમાં લેવા માટે ફાયર વિભાગની 7 ગાડી ઘટના સ્થળે પહોંચી અને સાથે આગ પર સંપૂર્ણ રીતે કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. આગ લાગવાનું કારણ શોર્ટ સક્રિટ હતું. આગ વડાપ્રધાન આવાસમાં લાગી નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


જ્યારે આગ લાગવાની સૂચના મળી, તો ઘટનાસ્થળ પર તંત્ર પહોંચી ગયું હતું. ઘટનાસ્થળ પર ફાયર વિભાગની સાથે મોટી સંખ્યામાં સુરક્ષાકર્મીઓ પહોંચ્યા હતા. સ્થિતિને સંપૂર્ણ રીતે કાબૂમાં કરી લેવામાં આવી છે. 


વડાપ્રધાન આવાસમાં નથી લાગી આગ
વડાપ્રધાન કાર્યાલયે જાહેર કરાયેલા નિવેદનમાં કહ્યું કે, આગ વડાપ્રધાન આવાસ પર લાગી નથી. આગ પર સંપૂર્ણ રીતે કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. આગનું કારણ શોટ સર્કિટ હતું. 


આગ વડાપ્રધાન કાર્યાલય કે વડાપ્રધાન આવાસના પરિસરમાં લાગી નથી. આગ એસપીજી રિસેપ્શન વિસ્તારમાં લાગી હતી જે એલકેએમ કોમ્પ્લેક્સમાં છે. આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે.